નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગને લઇને ધરણા  પર બેઠેલા ખેડૂતોને મનાવવા માટે મોદી સરકાર દરેક સંભવ પ્રયત્ન કરી રહી છે. સરકાર દ્વારા ખેડૂતો સાથે વાતચીત માટે વધુ એક પ્રસ્તાવ પણ મોકલવામાં આવ્યો છે. જેના પર આજે ફેંસલાની આશા છે. સિંધુ બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચાની આજે બેઠક યોજાશે. આ બેઠકમાં સરકારના પ્રસ્તાવ પર ચર્ચા સાથે જ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

કિસાન સંયુક્ત મોરચાની આજે થનારી બેઠકનો સમય નક્કી છે, પરંતુ આ બેઠક આંદોલન માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. આ બેઠકમાં ખેડૂત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાતના મુદ્દે ચર્ચા કરવાની સાથે જ આગળની રણનીતિ તૈયાર કરશે. આ દરમિયાન ખેડૂતોએ હરિયાણા બોર્ડર પર શાહજહાંપુરમાં જામ કર્યો છે. દિલ્હી કૂચ માટે નિકળેલા ખેડૂતોને હરિયાણા પોલીસે રસ્તામાં જ અટકાવી દીધા હતા, ત્યારબાદ ખેડૂતોએ દિલ્હીથી જયપુર આવનાર લેનને પણ જામ કરી દીધો છે.  NH 48 પર જામ થતાં દિલ્હી જયપુરનો સંપર્ક કપાઇ ગયો છે.

ભારતીય કિસાન યૂનિયન એકતાએ જાહેર કર્યું છે કે 26 અને 27 ડિસેમ્બરના રોજ 30,000 ખેડૂત દિલ્હીની સીમા પર વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે. તો બીજી તરફ અમૃતસરથી કિસાન મજબૂર સંઘર્ષ કમિટીએ દિલ્હી તરફ જથ્થો રવાના કરવામાં આવ્યો છે, તે પહેલાં પણ કમિટીના બે જથ્થા રવાના કરી ચૂકી છે. બીજી તરફ રાજસ્થાનથી નાગૌર હનુમાન બેનીવાલએ જાહેરાત કરી છે કે જો સરકાર ખેડૂતોની માંગ નહી સ્વિકારે તો રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)નો સાથ છોડશે. સાથે જ તેમણે કહ્યું કે તે આજે ખેડૂતો સાથે દિલ્હી કૂચમાં સામેલ થશે. તે પહેલાં તેમણે ત્રણેય સંસદીય સમિતિઓ પાસેથી રાજીનામું આપી દીધું હતું.