પશ્ચિમ બંગાળના કોલકાતામાં 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્રની બોઝની જયંતી કાર્યકર્મ દરમિયાન પ્રધાન મંત્રીની હાજરીમાં સૂત્રોચ્ચારની ઘટના પર સીએમ મમતા બેનરજીએ પ્રતિક્રિયા આપી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે હુગલીમાં એક જનસભાને સંબોધિત કરતા આ મુદ્દાને લઈને બીજેપી પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે હું બીજેપી સામે માથું ઝુકાવવાને બદલે પોતાનું ગળું કાપવાનું પસંદ કરીશ.
#WATCH | Netaji Subhash Chandra Bose is everyone's leader…They were teasing me in front of Prime Minister (at Victoria Memorial on Jan 23)… I don't believe in guns, I believe in politics. BJP has insulted Netaji and Bengal: West Bengal CM Mamata Banerjee in Pursura, Hoogly pic.twitter.com/TVPFnbo6bi
— ANI (@ANI) January 25, 2021
નોંધનીય છે કે 23 જાન્યુઆરીએ વિક્ટોરિયા મેમોરિયલમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતી સમારોહમાં મમતા બેનરજીએ ત્યારે ભાષણ આપવાની ના પાડી દીધી હતી કારણ કે ભીડમાં રહેલા લોકોએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા. આ સમયે તેમણે કહ્યું હતું કે તે લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે મારું અપમાન કર્યું છે. હું બંદૂકોમાં નહીં પણ રાજનીતિમાં વિશ્વાસ રાખું છું. બીજેપીએ નેતાજી અને બંગાળનું અપમાન કર્યું છે.
મમતા બેનરજીએ કહ્યું કે જો તમે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જય કરી હોત તો હું તમને સલામ કરત પણ જો મને બંદૂક બતાવવામાં આવશે તો તે બંદૂકની સંદૂક બતાવી શકે છે, પરંતુ તે રાજકારણમાં માને છે, બંદૂકોમાં નહીં.

