થોડા સમય પહેલા થયેલી નોટબંધી જીએસટી અને હાલના કોરોનાના કહેરને પગલે બેરોજગારી અને આર્થિક સક્રમણમાં ઘેરાયેલાં મજબૂર લોકો આપ-ઘાતના માર્ગે આગળ વધી રહ્યા છે. ગઈકાલે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસને #NationalUnemploymentDay ટ્રેન્ડ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસે શુભેચ્છાઓનો વરસાદ થઇ ગયો છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર બેરોજગારી દિવસ પણ ટ્રેન્ડ થઇ રહ્યો છે. ભાજપ મોદીના જન્મદિવસને 14 થી 20 સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહ તરીકે ઉજવી રહ્યા છે ત્યારે એવો પ્રશ્ન થાય કે હકીકત શું છે? શું સાચે જ બેરોજગારીના દર વધી રહ્યા છે? શું ખરેખર સરકારના વર્તમાન પરિસ્થિતિમાં રોજગારી સંદર્ભના પગલાંથી લોકો નાખુશ છે?

    અમરેલી વિસ્તારના ૬૫ વર્ષના શ્રમજીવી અને લિંબાયત વિસ્તારના ૫૦ વર્ષના ભરત બરાપાત્રાએ આર્થિક સંકડામણથી કંટાળીને ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના બનવા પામી હતી. અન્ય બનાવ વેડ રોડના કિરીટ પટેલને જમીન માલિક બિલ્ડર રૂપિયા નહિ ચૂકવતા આર્થિક તંગીથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. મૂળ ભાવનગરના ટીંબા ગામના વતની અને હાલ અમરોલી જુના કોસાડ રોડ ખાતે રાધેશ્યામ રેસિડેન્સીમાં રહેતા જીવરાજભાઈ ઠાકરશીભાઈ ભોજાણી રાધેશ્યામ રેસિડેન્સીમાં  વોચમેન તરીકે નોકરી કરતા હતા. તેમનો પુત્ર ધર્મેશ કાપડ માર્કેટ માંથી સાડીઓ લાવી ઘરે જ હેન્ડવર્કના કામ સાથે સંકળાયેલા છે. કોરોનાની મહામારીના લીધે પુત્ર ધર્મેશનું ઘણા સમય થી કામ બંધ થઇ ગયું હતું. જીવરાજભાઈએ રૂ.૧૧ લાખની હોમ લોન અને રૂપિયા. ૫૦ હજારની સરકારની આત્મ નિર્ભર લોન લીધી હતી. પણ પુત્રનું કામકાજ બંધ થઇ જતા હપ્તો કોણ ભરશે એના તાણમાં રહેતા હતા. આ માનશિક સ્થિતિમાં તેમણે આપઘાતનો માર્ગ અપનાવ્યો હોવાનું જાણવા મળે છે.
      ગુજરાતમાં આવા અનેક કિસ્સાઓ આજે ઘટિત થાય એવું સંભવી શકે પણ કદાચ કાનૂની ચોપડે ન નોંધાવાના કારણે સામે ન પણ આવ્યા હોય.
     શું ખરેખર બેરોજગારી વધી છે કે નહિ એ વિષે NSSOના આંકડા પ્રમાણે, એપ્રિલ-જૂન મહિનાના ત્રણ માસિક સમયગાળામાં GDPI વૃદ્ધિ પ્રથમવાર -23.9% સુધી પહોંચી ગઈ છે. તેની અસર પણ રોજગાર પર હોવાનું દેખાય રહ્યું છે. તથા CMIEના જણાવ્યા પ્રમાણે 28 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી બરોજગારી દરનો 30 દિવસ મૂવિંગ એવરેજ 8% ઉપર રહ્યો, પરંતુ તેના પછી ઘટાડો થઇ રહ્યો છે. 16 સપ્ટેમ્બરે આ એવેરેજ 7.30%ની સપાટીએ આવી ગયો છે. તેમાં શહેરી દર (8.92%) અને ગ્રામીણ દર (6.55%) માં પણ ઘટાડો થઇ રહ્યો છે.

     સરકારથી યુવાનો નાખુશ છે તેના કદાચ આ કારણો હોઈ શકે જેમાં, કોવિડ-19 નો ડર હતો તો પણ વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ અને મેડિકલ એન્ટ્રસ પરીક્ષાઓ- JEE મેઈન્સ અને JEE એડવાન્સ, NEET સાથે ફાઈનલ યરની પણ પરીક્ષાઓ આપવી પડી. આ સંબંધિત સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે જે કહ્યું, તેનાથી પણ સરકારથી યુવાનો નાખુશ છે, નોકરી ગુમાવનારમાં 35% લોકો 20-25 વય જૂથના, 20થી 25 વર્ષ વય જૂથના કર્મચારી કુલ વર્કફોર્સના 9% છે. બીજા ત્રિમાસિક ગાળામાં જે લોકોએ કોવિડ-19ને કારણે નોકરી ગુમાવી તેમાં તેમનો શેર સૌથી વધારે 35% હતો. આર્થિક સંકટ દરમિયાન વધારે નુક્સાન ઓછા અનુભવ વાળા લોકોને થાય છે. કોસ્ટ કટિંગમાં કંપનીઓ હંમેશા ઓછા અનુભવ ધરાવતા લોકોને ઓછા કરે છે. 25 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોની નોકરી જવાનું કારણ પણ હોય શકે.

      આજની પરિસ્થિતિને જોઈએ તો આપણે નક્કી નથી કરી શકતા કે આજે વધુ ભયાનક કોણ ? કોરોનાની મહામારી કે બેરોજગારી ! હાલમાં બેરોજગારીના ભોગ બનેલા લોકોએ તો આપઘાતના નિર્ણયો લઈને જીવન ટુકાવવાનું શરુ કરી દીધું છે એમ કહી શકાય. હવે જોવું એ રહ્યું કે બેરોજગારીથી કંટાળેલા લોકો માટે રોજગાર અંગે સરકાર શું નિર્ણય લે છે.