કોરોનાની મહામારી વચ્ચે હવે તહેવારોની સીઝન નજીક છે ત્યારે સૌ કોઇ તે જાણવા આતુર છે કે આખરે આ મહામારીના સમયમાં તહેવારોની ઉજવણીને લઇને સરકાર શું નિર્ણય કરે છે. તેવામાં રાજ્ય સરકાર દ્વારા આ અંગે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.

     નવરાત્રીમાં ગરબાના આયોજનને લઇને પણ અત્યાર સુધી એવી વાતો થઇ રહી હતી કે 200 લોકોની લિમિટ સાથે ગરબાનું આયોજન થઇ શકે છે ત્યાં હવે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીમાં ગરબાના આયોજનને મંજૂરી આપવામાં નથી આવી. જો કે સરકારે પૂજા આરતી માટે એક કલાકનો સમય આપ્યો છે. ગુજરાત સરકારે નવરાત્રિના ગરબા- દશેરા– દિવાળી– બેસતા વર્ષ નૂતન વર્ષ સ્નેહમિલનના શરદ પૂનમના તહેવારોની ઉજવણી સંદર્ભે રાજ્ય સરકારે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે.

    રાજ્ય સરકારની આ માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી 16મી ઓક્ટોબર 2020 થી કરવાનો રહેશે. સરકારની આ નવી ગાઇડલાઇન મુજબ નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ જાહેર ગરબાનું આયોજન કરી શકાશે નહી. સાથે જ જણાવ્યું છે કે નવરાત્રી દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિ ની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહીં કરી શકાય.

માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી 16મી ઓક્ટોબર 2020 થી કરવાનો રહેશે.

૧. આ માટે સ્થાનિક વહીવટી તંત્ર ની મંજુરી લેવી આવશ્યક રહેશે.
. 200થી વધુ વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે નહીં તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે.
૩. નોંધનીય છે કે આ તમામ એસ ઓ પી નું પાલન અવશ્ય કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે કન્ટેન્ટમેન્ટ ઝૉન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે. નોંધનીય છે કે તદ્દનુસાર છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે.

. સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે.
૫. થર્મલ સ્કેનર, સેનીટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનીટાઇઝ કરવાના રહેશે.
૬. હેન્ડવોશ, સેનીટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે.
૭. સમારંભ દરમિયાન થૂકવા તેમજ પાન-મસાલા ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે૮. ૬૫થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી નીચેની વયના બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે તે હિતાવહ છે. જો આવા સમારંભો હોલ, હોટલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળ ની કેપેસિટી ના 50 ટકા કે વધુમાં વધુ ૨૦૦ વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે.

૯. દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ નૂતન વર્ષના સ્નેહમિલન, ભાઈ બીજ શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવા સલાહભર્યું છે.
૧૦. આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી આવશ્યક છે.
૧૧. મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેના પર પ્રતિબંધ રહેશે.
૧૨. આ સૂચનાઓના ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ સંચાલક-આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
૧૩. તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ત્વરાએ ઉપલબ્ધ થાય તેનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે.

      કોરોના કાળમાં ગરબા યોજાયા હોત તો કોરોના સંક્રમણ વધવાનો ભય હતો. જોકે, સરકારે જ્યાં ચૂંટણીઓ છે ત્યાં ગાઈડલાઈનમાં ફેરફાર કરીને રાજકીય રેલીઓને મંજૂરી આપી હોવાથી આ મામલે વિવાદ આગળ વધે તેવી સંભાવના છે. સરકારે નવરાત્રિમાં ગરબાને પરમીશન આપી નથી પણ ચૂંટણીઓને રેલીને પરમીશન આપી છે. નવરાત્રિથી લઇને છેક બેસતા વર્ષ સુધીની ગાઈડલાઈન જાહેર થઈ છે. વર્ષે કોરોનાકાળમાં નવરાત્રિના ગરબા નહીં યોજાય એ હવે ફાઈનલ થઈ ગયું છે.તબીબોથી લઈને અનેક નિષ્ણાતોએ આ સમયે નવરાત્રિ ન યોજવી જોઈએ તેવા સરકારને અભિપ્રાય આપ્યા હતા.દેશમાં કોરોનાકાળ વચ્ચે આ વર્ષે નવરાત્રિનું આયોજન એ અતિ જોખમી હોવાથી રૂપાણી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે.