ધરમપુર: આદિવાસી સમાજમાં બધુ જ સાહિત્ય મૌખિક છે એવું વડીલો કહેતા હતા પણ હવે તેને પેપરની પરિપાટી પર અને આદિવાસી સાહિત્યને નેશનલ લેવલ સુધી પોહચાડી રહેલા એવા આદિવાસી સમાજના કુકણા સમુદાયને સાહિત્યકાર ડાહ્યાભાઈ વાંઢુનું મહારાષ્ટ્ર ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.

Decision news ને મળેલી માહિતી મુજબ આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી (ડાંગ) સમાજ ગુજરાત રાજ્યના કુકણા સાહિત્યમા કંસેરીદેવી ની કથાની માન ડાહયાભાઈ વાઢું દારા લખાયેલી કથા ને ઇન્ટરનેશનલ લેવલ ઉપર એક નાટક સ્વરૂપે તા ૧૩-૨-૨૦૨૫ ના રોજ દિલ્લી ઇન્ટરનેશનલ રંગભવન ખાતે NSD દારા સ્ટેજ ઉપર રજુ કરવામાં આવેલ આ કથા ડાંગ વિસ્તારમાંથી. ભગતોના પાત્ર દારા, કંસેરીકથા રજુ કરવામાં આવેલ જેનું સન્માન મહારાષ્ટ્રના (જવાહર) પાલઘર ખાતે મહારાષ્ટ્રના જવાહરના ધારાસભ્ય દારા સન્માન કરવામાં આવેલ જેની સંગઠન કેન્દ્રીય કોર સહિત. સમગ્ર કુકણા સમાજની ગૌરવ ની બાબત છે.

જે. બી પવાર જે કુકણા સમુદાયના આગેવાન છે તેમનું કહેવું છે કે આદિવાસી સમાજની નવી પેઢી જે સાહિત્યના ક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવવા માંગે છે એવો યુવાનો માટે આદિવાસી સાહિત્યકાર ડાહ્યાભાઈ રોલ મોડલ છે તેઓ આદિવાસી લોકોના જીવન કવન અને તેની સંસ્કૃતિ, પરંપરા અને રિતરીવાજો પ્રત્યે હંમેશા લોકો જાગૃત કરતાં રહે છે. ખરેખર તેઓ જે સન્માનિત થાય તેને લઈને મને અને સમાજમાં ખુશીની લાગણી પ્રસરી છે.