વ્યારા: ગતરોજ સાંજે મણિપુરમાં જે માનવતાને શરમાર કરતી માણસના સ્વરૂપમાં જે નર પીસાચો દ્વારા અમાનવીય કૃત્ય કર્યું હતું તેના વિરોધમાં તાપી જિલ્લાના વ્યારા બસ સ્ટેન્ડ થી ક્રાંતિકારી બિરસામુંડાની પ્રતિમા સુધી મશાલ રેલી કાઢી આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો.

જુઓ વિડીયો..

Decision News ને મળેલી માહિતી મુજબ મણીપુરના જધન્ય અપરાધ સામે આક્રોશ ઠાલવવા માટે મશાલ રેલીમાં કોઈપણ પક્ષ-વિપક્ષનો ભેદભાવ રાખ્યા વગર લોકો જોડાયા હતા અને આદિવાસી સમાજ સાથે જે અન્યાય થયો છે તેમાં સાથે રહી લડાઈ લડવાનો નિર્ધાર કર્યો હતો તથા બે આદિવાસી મહિલાઓને ન્યાય અને અપરાધીઓને સજા મળે એવી ગુહાર લગાવવામાં આવી હતી. આ મશાલ રેલીનું આયોજન સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખશ્રી યુસુભ ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.