ચીખલી: આજરોજ રાજ્યમંત્રી નરેશ પટેલની અધ્યક્ષ સ્થાને ચીખલી તાલુકાના હરણગામ ખાતે આવેલા હળપતિ સમાજના લોકોના જે આવાસો દર ચોમાસામાં ડુબાણમાં જતા હતા તેનો કાયમી નિકાલ કરવા હળપતિ રેસીડેન્સીના નવનિર્માણનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત થયું

Decision Newsને મળેલી માહિતી મુજબ દર વર્ષે ચીખલી તાલુકાના હરણગામમાં  ચોમાસા દરમિયાન નદી કિનારે વસવાટ કરતા હળપતિ સમાજના લોકોના આવાસો ડુબાણમાં જતા તેઓ ખૂબ મુશ્કેલી ભોગવતા હતા. આ સમસ્યાનો કાયમી નિકાલ લાવવા આજરોજ વીણા ચેરીટેબલ ટ્રસ્ટ, નડિયાદના સહયોગથી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નવનિર્માણ થઈ રહેલ હળપતિ રેસીડેન્સીનું રાજ્યમંત્રી નરેશ પટેલની અધ્યક્ષામાં ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરાયું હતું.

આ ઉત્તમ વિકાસ કાર્યમાં સહભાગી થવા બદલ દાતાઓને અભિનંદન અને હરણગામના હળપતિ સમાજના લોકોને શુભકામનાઓ પાઠવી.