દાનહ: ગતરોજ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ ભાઈ પટેલ લક્ષદીપ મુલાકાત નવા લક્ષદીપની મુલાકાત વિકાસના કામોની સ્વ નિરીક્ષણ કરી વિકાસની દિશામાં લક્ષદીપના નિર્માણનો જયઘોષ કરવામાં આવ્યો હતો જેના કારણે લોકોમાં પ્રસંશા વાતો પ્રસરી હતી

Decision News ગતરોજ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ ભાઈ પટેલ વરસાદી મોસમમાં દમણથી 2177 કિલોમીટર દૂર રહેલા લક્ષદીપ પ્રવાસ પર કર્યો હતો જેમાં લક્ષદીપના નવ નિર્માણના નિર્ણયમાં અડગ રહી સ્થળ ઉપર જઈ વિકાસના કામોના નિરીક્ષણ અને સમીક્ષા કરી હતી અને સ્થાનિક અધિકારીઓને કામોના સદર્ભમાં જરૂરી માર્ગદર્શિકા પૂરી પાડી હતી.

આ ઉપરાંત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસ દમણ-દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઇ પટેલ આજે લક્ષદીપની મુલાકાત દરમિયાન સ્થાનિક વહીવટીતંત્ર અધિકારીઓને જણાવ્યું કે વિકાસના કામોમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહી ન જાય એની ખાસ કાળજી રાખવી.