રાજ્યમાં આજે કોરોનાના કુલ 353 જ નવા કેસ નોંધાયા છે જ્યારે તેની સામે 462 દર્દી સાજા થયા છે. જોકે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે રાજ્યમાં અત્યારસુધીમાં 95,909 વ્યક્તિને રસી મળી ચુકી છે. આ અભિયાનમાં આજે 3,787 વ્યક્તિનો ઉમેરો થયો છે

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 75, વડોદરામાં 85, રાજકોટમાં 64, પંચમહાલમાં 9, સાબરકાંઠામાં 9, મોરબીમાં 6, સુરતમાં 6, ભરૂચમાં 5, ગાંધીનગરમાં 9, જૂનાગઢમાં 8, કચ્છમાં 5, નર્મદામાં 5, ભાવનગરમાં 4, ગીરસોમનાથમાં 4, અમરેલીમાં 3, આણંદમાં 3, દેવભૂમિ દ્વારકામાં 3, જામનગરમાં 5, ખેડામાં 3, મહીસાગરમાં 2, મહેસાણામાં 2, પાટણમાં 2, અરવલ્લી 1, છોટાઉદેપુરમાં 1, દાહોદમાં 1, સુરેન્દ્રનગરમાં 1, વલસાડમાં 1 એમ કુલ 353 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં હાલમાં કુલ 3976 એક્ટિવ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે. આ પૈકીના 43 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 3933 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 2,51,862 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 4382 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં આજે અમદાવાદમાં એક મોત થતા મૃત્યુનો આંકડો સાવ ઘટી ગયો છે.