ડાંગ: સરકારી વિનયન અને વાણિજય કોલેજ, આહવા, ડાંગ દ્વારા “આઝાદીકા અમૃત મહોત્સવ”ના શ્રેષ્ઠ ભારત કે પંચપ્રકલ્પ અંતર્ગત પર્યાવરણ, સ્વચ્છતા, જળ સંચય અને જળસંરક્ષણ સમિતિ અને ઉત્તર ડાંગ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ફોરેસ્ટ કેમ્પ સાઈટ મહાલ ખાતે ત્રી-દિવસીય સ્વચ્છતા અને પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ કોલેજના 35 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ તથા ટ્રેનર અને ગાઈડ વિપુલભાઈ અને વસંતભાઈ દ્વારા પ્રકૃતિ વિશે રસપ્રદ રમતો રમાડી, પ્રકૃતિનું જ્ઞાન પુરું પાડ્યું હતું અને કેમ્પના હેતુંનો પરિચય કરાવ્યો હતો. કેમ્પના બીજા દિવસે સમિતિના સભ્યો તથા આચાર્ય ડૉ. યુ. કે.ગાંગુર્ડેનાં માર્ગદર્શન હેઠળ વનપરિભ્રમણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા માસ્ટર ટ્રેનર વિપુલભાઈ દ્વારા જંગલમાં ટ્રેકિંગ લાઈન ઉપર દોરી જઈ જંગલના વિવિધ વૃક્ષો, વનસ્પતિઓ, પક્ષીઓ, પ્રાણીઓની વિવિધ જાતિઓ, તેમની લાક્ષણિકતાઓ, ઉપયોગિતાઓ, તેમની વિશેષતાઓ વિશે ઉંડાણ પૂર્વકનું જ્ઞાન પુરું પાડ્યું હતું. સાથે સાથે પર્યાવરણિય જ્ઞાન રચનાત્મક રમત રમાડીને આપ્યું હતું અને શાંત સમયનું મનન કરાવી માનસિક શાંતિનો અદભૂત અનુભવ કરાવ્યો હતો. ત્યારબાદ પાછા કેમ્પ સાઈટના સ્થળ ઉપર આવ્યા હતા
આ કેમ્પ સાઈટના આજુબાજુના પરિસરમાં તથા મહાલ વિસ્તારના ગામોમાં સ્વચ્છતા અને પ્લાસ્ટીકની સફાઈ અને લોકોને પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા અથાવ તેનો યોગ્ય નિકાલ કરવાનું સમજાવી પ્લાસ્ટીક મુક્ત વિસ્તાર બનાવવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. શિબિરાર્થીઓ દ્વારા પર્યાવરણ અને અંધશ્રદ્ધા ઉપર ખુબ જ રસપ્રદ નાટકો રજૂ કર્યા હતા, અને લોકોને પ્રર્યાવરણ અને અંધશ્રદ્ધા વિશે જાગૃત કર્યા હતા.

