કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના પીપલસેત ગામમાં અડધી રાત્રે ગામના ઝાજુર ફળિયામાં એક દીપડો પ્રવેશ્યો હતો. દીપડો એક ખેડૂતના ઘરના ઓટલા પર આવીને બેસી ગયો ત્યારે પરિવારજનોએ બારણાં બંધ કરી લેતા જીવલેણ હુમલાની ઘટના ટળી હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર કપરાડાના પીપલસેત ગામમાં ખેડૂતના દીપડો ઓટલા પર આવી બેસી જતાં ઘરના પરિવારજનોએ દીપડાને જોતાં જ સાવચેતીથી કામ લીધું હતું. તેઓએ ઘરને અંદરથી બંધ કરી દીધું હતું. ગભરાટ કે બુમાબૂમ કર્યા વગર તેમણે આસપાસના લોકોને જાણ કરી હતી. સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. લોકોએ ખેડૂતના ઘરના છતના નળિયા દૂર કરીને પરિવારને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. ત્યારબાદ
વન વિભાગને જાણ કરવામાં આવતા તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીપડાને પાંજરામાં કેદ કર્યો હતો. દીપડો શારીરિક રીતે અશક્ત જણાતો હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

