સુરત: આજરોજ લોક સંઘર્ષ મોર્ચા દ્વારા ઉકાઈ ડેમના વિસ્થાપિત એવા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખોટારામપુરા, રૂઢિગવાણ, નવાચકરા, ડોગરિપાડા (કોલવણ ) દેવરૂપણ, ખોખવડ અને તાલુકો સાગબરા જિલ્લો નર્મદા તેમાં સમાવિષ્ટ ગામ, ભાદોડ, હલગામ, દોધનવાડી, નાનીનાલ, સોરતા, કાકરપાડા, મોટ કાકડિઆંબા, પાડી વગેરે ગામના દાવેદારો અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આવેદપત્ર આપવામાં આવ્યું.
ભારત સરકારે આદિવાસીઓના પેઢીદર પેઢી થી થયેલ ઐતિહાસિક અન્યાય ને દૂર કરવા અને આદિવાસી ઓ ને જળ જંગલ જમીન પર પોતાના અધિકારો કાયમ રહે તે માટે વન અધિકાર અધિનિયમ 2006 અને તેના નિયમો ૨૦૦૮ અને સુધારા નિયમ 2012 ધડવામાં આવ્યા છતા આજે પણ આદિવાસી સમાજને પોતાના અધિકાર મેળવવા માટે વારંવાર રજૂઆત કરવી પડે છે વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ જંગલ જમીન ધારણ કરતા ખેડુતોને લગતા પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરી આધરપત્ર આપવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી.
ઉમરપાડા તાલુકાના વડપાડા રેન્જ માં ફોરેસ્ટ ઓફિસર અને તેના સ્ટાફ દ્વારા કંપા.નં.453/454 ની વન જમીન પર JCB દ્વારા ખોદકામ કરી કપાસના ઉભા પાકને નુકશાન કરી વન જમીન હટાવવા નું કામ ચાલુ હતું જેમાં ખેતરના કપાસના ઉભા પાક ને ખુબજ નુકશાન કરેલ છે જેઓની વન જમીન અંગે દાવા અરજી પેન્ડિંગ હોય કોઈ પણ જાતની લેખિત મોખિક જાણ કર્યા વિના કામ ચાલુ રાખેલ હતું . અને એવા વિસ્તારના ૨૦ જેટલા પરિવારોને જંગલ જમીન પરથી ખાડા તેમજ ટ્રેનચ બનાવી હટાવવામાં આવ્યા છે વધુમાં તત્કાલ અટકાવવામાં ન આવે તો ધાણા આદિવાસી પરિવારોને ધર તેમજ જમીન નો અધિકાર છીનવાય જશે. વન વિભાગ પોતે કાયદો જાણતા હોવા છતાં પોતે હોદ્દાનો દુરુપયોગ કરી જંગલ જમીન ના પુરાવા નાશ કરી ખોટા પુરાવા ઊભા કરેલ હોય તે અંગે તપાસ કરી કાયદેશરની કાર્યવાહી કરવામાં આવે. એવી માંગ કરવામાં આવી છે તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટ , સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા અને આદિજાતિ મંત્રાલય ભારત સરકાર ના આદેશોનું ચુસ્ત પણએ પાલન થાય તેવી માંગ કરવામાં આવી છે. દેશના વિકાસ માટે ઉકાઈ ડેમમાં જમીન આપનાર આદિવાસી પરિવારોની જંગલ જમીન પર સરકારનું બુલડોઝર થી ગુજરાત સરકારની ઉદાસીનતા અને નિષ્ક્રિયતાની પોલ ખૂલી ગઈ છે.
રાજ્ય સરકાર દ્વારા હાલમાં કૂલ 70 હજાર હેક્ટર વન વિસ્તારને અભિયારણ (WILD LIFE SANCTURIES ) બનાવવા સર્વેનું કામ ચાલુ છે જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વડપાડા રેન્જ તથા માંડવી તાલુકામાં અને તાપી જીલ્લાના સોનગઢ તાલુકાના તાપ્તી, વાજપુર ખેરવાડા રેંજના જંગલમાં અભિયારણ (WILD LIFE SANCTURIES )થી વ્યક્તિગત /સામુદાયિક(આજીવિકા ) અધિકારને નુકશાન થનાર હોય તેમજ વન અધિકાર અધિનિયમ અને પેસા કાયદા ની વિરુદ્ધ માં હોય જેથી અભિયારણ ન બનાવવામાં આવે તેમજ આદિવાસી વિસ્તારમાં વન અધિકાર અધિનિયમ 2006 ની સંપૂર્ણ અમલવારી કરવામાં આવે તેમજ જંગલ જમીન પર અધિકાર પત્ર અને ૭/૧૨ ની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને હાલ માં સરકારશ્રી દ્વ્રારા જે WILD LIFE SANCTURIES અંગે સર્વે કરી રિપોર્ટ રજુ કરવા આદેશ કર્યા છે જે ને રદ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
ઉકાઈ વિસ્થાપિતોને ખૂબ જ સહાનુભૂતિપૂર્વક હકારાત્મક અભિગમથી વનભૂમિ પર ગ્રામસભામાં ઠરાવ પ્રમાણે વ્યક્તિગત દાવા અરજીઓનું તત્કાલ નિકાલ કરી અધિકાર પત્ર આપી વન વિભાગ પર યોગ્ય પગલાં લઈ આદિવાસીઓ પરના અત્યાચાર અન્યાયને ન્યાયની માંગો પર તંત્ર દ્વારા શુ પગલાં લેવામાં આવશે તે જોવાનું રહ્યું.

