વલસાડ: આજરોજ વલસાડ-ડાંગ લોકસભાના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા બજેટસત્રમાં વંદેભારત ટ્રેનનું સ્ટોપેજ આપવા તેમજ વલસાડ નવી વંદેભારત ટ્રેન ચાલુ કરવા અને ગુજરાત મહારાષ્ટ્રના રૂટ પર કાર્યરત બૂલેટ ટ્રેન ની વર્તમાન સ્થિતિ, નિર્માણ સ્થિતિ અને સમય મર્યાદા કેટલી હશે, કવરેજ નેટવર્ક ક્યાં સુધીમાં ચાલું થશેની માહિતી રેલવે મંત્રી વૈષ્ણવ પર માહિતી માંગી હતી.

સાંસદ શ્રી ધવલભાઈ પટેલે સંસદમાં કહ્યું કે વલસાડ થી મુંબઈ અને વાપી- વલસાડથી દિલ્હી માટે નવી વંદે ભારત ટ્રેન ચલાવવાની સરકારની રૂપરેખા ની માહિતી આપવામાં આવે તથા વલસાડ સ્ટેશન અનેક ગ્રામ્ય કક્ષાના રહેવાસીઓ સાથે કનેકટીવીટી ધરાવતુ મહત્વનુ સ્ટેશન હોવાથી વિષેશ રૂપે વંદેભારત ટ્રેનનું સ્ટોપેજ આપવા તેમજ વલસાડ નવી વંદેભારત ટ્રેન ચાલુ કરવામાં આવે અને ગુજરાત મહારાષ્ટ્રના રૂટ પર કાર્યરત બૂલેટ ટ્રેનની વર્તમાન સ્થિતિ, નિર્માણ સ્થિતિ અને સમય મર્યાદા કેટલી હશે, કવરેજ નેટવર્ક ક્યાં સુધીમાં ચાલું થશે, વલસાડ સ્ટેશનને વધુ પ્રાધાન્ય સાથે વલસાડ સ્ટેશનને વિવિધ ટ્રેનોનું સ્ટોપેજ મળે તેની માગ કરી હતી.

આ ઉપરાંત શતાબ્દી એક્સપ્રેસ, ઈન્દોર એક્સપ્રેસ, ગાંધીધામ એક્સપ્રેસ, બાંદ્રા ચંદીગઢ એક્સપ્રેસને વલસાડ સ્ટેશન પર રોકવામાં, ઉમરગામ થી સુરત અને વલસાડ સુધીની મુખ્ય સ્ટેશનોને આવરી લેતી નોન સ્ટોપ અપ ડાઉન મેમુ ટ્રેનો મુદ્દે વાત કરી હતી.