ધરમપુર: દેશમાં અને ગુજરાતભરમાં ૨ ઑક્ટોબર ગાંધી જયંતીના દિવસે વિવિધ કાર્યક્રમોની ઉજવણી થઇ છે ત્યારે દર વર્ષની જેમ લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા ધરમપુર દ્વારા દર વર્ષે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે યોજાનાર કાર્યક્રમો. 02.10.2023 પ્રવાસન સ્થળોએ સાફ સફાઈ, 03.10.2023 શાળામાં ગાંધી વિચાર પ્રચાર પ્રસાર પોસ્ટર પ્રદર્શન, 04.10.2023 શાળામાં ગાંધીજયંતીના ભાગ રૂપે વકૃત્વ સ્પર્ધા યોજાશે

આ ઉપરાંત 05.10.2023 ધરમપુર થી પિપરોળ વરસાદી દેવના ડૂંગર સુધી પદયાત્રા કરવામાં આવશે, આ પદયાત્રા પીપરોળ પહોંચી ત્યાર વૃક્ષા રોપણ કરશે. અને આજે ગાંધીબાગ ધરમપુર ખાતે ગાંધીજીના પુસ્તકોનું વેચાણ લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.