ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના મિયાં ગામમાં હનુમાન દાદાના મંદિર માટે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય યજમાન તરીકે નવસારી યુવા મોર્ચાના ઉપપ્રમુખ ડૉ વિશાલ પટેલ B.V.K ગ્રુપ ના ચેરમેન અને ફાઉન્ડર ઉપસ્થિત રહ્યા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લા યુવા મોર્ચાના ભાજપ ઉપપ્રમુખ પધારેલા હતા, વાંસદા તાલુકા પંચાયત શાસક પક્ષનેતા બીપીન માહલા, ડાંગી હોટલના માલિક ભુપેન્દ્ર પટેલ, લીંમઝર બાગાયત સરકારી મંડળીના પ્રમુખ શ્રી ધર્મેશ ભીમસેન, મોહનભાઈ ચોધરી ગામના આગેવાનો ભાઈઓ બેહનોએ હાજરી આપી હતી.

આ પ્રસંગે નવસારી જિલ્લા યુવા મોર્ચા ડૉ વિશાલ પટેલ જણાવ્યું કે હનુમાનજી આદિવાસી સમાજના ખુબ જ સન્માનપ્રદ દેવ છે અને મંદિર એ ખૂબ પવિત્ર જગ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે મંદિરમાં આવા થી મન ખૂબ શાંત રહે છે અને મંદિરમાં આ પ્રકારના ડાયરાના ભજન- કીર્તન કાર્યક્રમમાં લોકોમાં ભક્તિભાવની જ્યોત પ્રજવલિત રહે છે.