કપરાડા: વિધાનસભાની પ્રથમ ચરણની 1 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી નો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. વડાપ્રધાનથી લઈ કેન્દ્રીય મંત્રીઓ દોડી રહ્યા છે. ત્યારે સોમવારે કેન્દ્રના આરોગ્યમંત્રી ભારતી પવારે કપરાડા વિધાનસભા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર જીતુ ચોધરીના પ્રચાર અર્થે મોટાપોંઢા ખાતે કાર્યકરો સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં કેન્દ્રના આરોગ્યમંત્રી ભારતી પવારે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસશીલ યોજના સાથે કપરાડાની અસ્ટોલ યોજન નો ઉલ્લેખ કર્યો હતો અને આદિવાસી વિસ્તારોમાં આદિવાસી વિકાસલક્ષી યોજનાઓ, આદિવાસીઓને વધુને વધુ પ્રતિનિધિત્વ આપવું, શિક્ષણ,આરોગ્યની ચિંતા માત્ર ભાજપ કરતી હોવાનુ જણાવ્યુ હતુ. મંત્રીએ કોગ્રેસ અને આમ આદમી પાર્ટીના ભ્રામક પ્રચારથી સાવચેત રહેવા સૌને આહવાન કર્યું હતું અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે આદિવાસીઓના મસીહા હોવાનુ દાવો કરતી કોગ્રેસ જ્યારે એક આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બની રહી હતી, કોગ્રેસએ ત્યારે વિરોધ કર્યો હતો, આજે રાષ્ટ્રપતિ જેવા સર્વોચ્ચ પદ પર રહેલી વ્યક્તિને અલગ અલગ પ્રકારે કોગ્રેસ અપમાનિત કરી રહી છે કોગ્રેસ માત્ર અને માત્ર વોટની રાજનીતિ કરી રહી છે. જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો વિકાસના ચોક્કસ વિઝન સાથે દેશવાસીઓના વિકાસ માટે આગળ વધી રહી છે.

એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્ર સાથે વિકાસના મોડેલ સાથે આગળ વધી રહી છે, આદિવાસીઓનું પ્રતિનિધિત્વ વધારી રહી છે, આદિવાસી વિસ્તારોમાં મેડિકલ કોલેજ, સુપર સ્પેશ્યાલિતી હોસ્પિટલ, સુવિધાયુક્ત શિક્ષણ સંસ્થાઓ, સ્થાનિક કક્ષાએ રોજગારી સેત્રો વધારવા સતત પ્રયત્નશીલ છે, 700થી વધુ એકલવ્ય મોડેલ રેસીડેન્સી શાળાઓ શરૂ કરી છે, યુવાનોને આત્મ નિર્ભર બનાવવા વિશેષ ધ્યાન વડાપ્રધાન આપી રહ્યા છે. આ પ્રસંગે વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ કરશન ભાઈ ગોંડલિયા, મોટાપોંઢા જી. પ.સભ્ય કેતન. પટેલ આગેવાન કમલેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા