કપરાડા: ગતરોજ ઉમરગામ તાલુકામાંથી નીકળેલી અંબાજી સુધી પ્રજા જાગૃતિ માટે આમ આદમી પાર્ટી અને BTPના સંગઠનની કાર્યકરો અને અગ્રણી નેતાઓની પરિવર્તન યાત્રા આજે કપરાડા ખાતે આવી પોહચી હતી ત્યારે આ રેલીનું વિવિધ જગ્યાઓ ઉપર ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. જે લોકો માટે આકર્ષણ કેન્દ્ર બન્યું હતું.

જુઓ વિડીયો

Decision Newsને મળેલી માહિતી મુજબ ઉમરગામથી અંબાજી સુધી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને BTPના કાર્યકરોએ ભેગા મળીને જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વખતે ગુજરાતના રાજકારણમાં પરિવર્તન લાવવાનો આ પરિવર્તન યાત્રાનું ગુજરાતભરમાં રેલીઓ કઢાવવામાં આવી છે જ્યાં ગ્રામિણ સ્તર પર હકારાત્મક પ્રતિભાવ મળી રહ્યો છે.