વલસાડ: ગતરોજ વલસાડ જીલ્લાના પારડી તાલુકાના અંબાચ ગામના પાનેર ફળીયામાં આંતરિક રસ્તાનું ખાતમુર્હુત ગામના સરપંચ શ્રી, ડેપ્યુટી સરપંચ શ્રી, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ પારડી તાલુકાના અંબાચ ગામના પાનેર ફળીયામાં આંતરિક રસ્તાનું ખાતમુર્હુત ગામના સરપંચ શ્રી, ડેપ્યુટી સરપંચ શ્રી, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.જેને લઈને સમગ્ર ફળિયાના લોકોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું.

ગ્રામજનોની સુખાકારી માટે જ્યારે સરપંચો નિર્ણય લે છે ત્યારે ખરેખર તેઓ પ્રજાના હિત કાર્યોને પુરા કરતા હોય છે અને આવો જ કઈક નિર્ણય અંબાચ ગામના સરપંચે લીધો છે જેને તેઓ અંજામ આપી રહ્યા છે.