વાંસદા: આજરોજ વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પહેલી અને બીજી કોરોનાની લહેરમાં મૃત્યુ પામનારા લોકોના પરિવારોને યોગ્ય વળતર મળે તે માટે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અને લોકનેતા અનંત પટેલની આગેવાનીમાં ન્યાય યાત્રા કરી આવેદનપત્ર આપવામાં આવ્યું.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે સદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પહેલી અને બીજી કોરોનાની લહેરમાં મૃત્યુ પામનારા લોકોના પરિવારોને યોગ્ય વળતર મળે તે માટે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અને લોકનેતા અનંત પટેલની આગેવાનીમાં ઘણા કોંગ્રેસી યુવા કાર્યકરોએ ન્યાય યાત્રા કરી તાલુકા સેવાસદન ખાતે આવેદનપત્ર આપ્યું હતું. આ ન્યાય યાત્રામાં ગુજરાતમાં માતમ ભાજપ અડીખમ, નથી ઓકિસજન નથી બેડ ભાજપના કુશાસનની છે લહેર, ન્યાય તો હમ દિલા કે રહેગે ચાર લાખ લે કે રહેગે જેવા સુત્રોચાર સંભાળ્યા હતા.

આ પ્રસંગે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અને નવસારી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખશ્રી શૈલેષભાઈ પટેલ અને મહિલા કોંગ્રેસી કાર્યકર્તા અને યુવાઓ કાર્યકરો પણ આ ન્યાય યાત્રામાં જોડાયા હતા. અનંત પટેલનું કહેવું છે કે આ નકામી અને નફફટ સરકારને આપણે છોડીશું નહિ આપણા હકનું વળતર આપણે મેળવીને જ રહીશું. આ સરકારને બતાવી દેશી કે હવે આદિવાસી ભીખ નહિ માંગે પોતાનો હક હવે છીનવી લેતા પણ તેમને આવડે છે.