નવસારી: સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદા લવાયા બાદ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને જેમાં ઘણા ખેડૂતો શહીદ પણ થયા છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ત્રણે કૃષિ કાયદાને રદ કરવાની જાહેરાત કરતા નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા નવસારી APMCની ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને ખેડૂતોની જીતની ઉજવણી કરી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ ખેડૂતોના આંદોલનમાં જે ખેડૂતો શહીદ થયા છે તેમના પરિવારને પણ ન્યાય આપે અને રાકેશ ટીકેટને પણ અંત સુધી લડવા માટે અભિનંદન આપ્યા હતા. અને ખેડૂતોની જીતની ઉજવણી કરતાં શું કહ્યું જુઓ વિડીયોમાં…

 

આ પ્રસંગે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શૈલેષભાઈ પટેલ, નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ નાયક, એ.ડી.પટેલ સહિત કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.