ધરમપુર: આજરોજ નમો ક્વિઝ સ્પર્ધા નિમિતે ધરમપુર ખાતે ભારતીય જનતા યુવા મોરચા અંતર્ગત મોદી સાહેબના સફળ નેતૃત્વ હેઠળ ક્વિઝ અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

Decision Newsને મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્લા યુવા મોરચા પ્રમુખ સ્નનેહિલભાઈ દેસાઈ, મહામંત્રી પ્રભાકર યાદવ, કોલેજના પ્રિન્સીપાલશ્રી ડો.ઉત્તમભાઈ પટેલ, એમ. એસ.વી. એસ કેળવણી મંડળ ધરમપુર પ્રમુખ સંજયભાઈ રાંચ, મંત્રી યોગેશભાઈ દેસાઈ, મંત્રી મહિન્દ્રભાઈ ભવસાર, ટ્રસ્ટી ઠાકોરભાઈ આહીર, ઉપ પ્રમુખ નરેશભાઇ પટેલ, કારોબારી સભ્ય રક્ષાબેન જાદવ, નગર પાલિકા સભ્ય રમેશભાઈ અટારા, શહેર યુવા મોરચા પ્રમુખ અક્ષય ચૌધરી, ઉપ પ્રમુખ ધવલ ભોયા, તાલુકા યુવા મોરચા પ્રમુખ નિખિલ ભંડારી, ઉપ પ્રમુખ દિવ્યેશ ભોયા, ABVP કાર્યકર્તા હર્ષ આહીર, કોલેજના પ્રોફેસર નવીનભાઈ ઢીમ્મરની ઉપસ્થિતિમાં યોજાયો

જેમાં નિબંધ સ્પર્ધા અને ક્વિઝનું આયોજન થયું જેમાં 200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં મહેમાનોની ઉપસ્થિતિમાં વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું