ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત કરાયેલા ન્યાયાધીશ અરવિંદ કુમારને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે હોદ્દાના શપથ લેવડાવ્યા હતા

આ શપથ ગ્રહણ સમરોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્ય, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, માર્ગ મકાન મંત્રી પુર્નેશ મોદી, આદિજાતિ મંત્રી નરેશ પટેલ , ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશ પટેલ ,નર્મદા જળ સંપતિ અને મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી જીતુ ચૌધરી સહિતના રાજ્યમંત્રી પરિષદના સદસ્યો, ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશો, મુખ્ય સચિવ ,વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ, વરિષ્ઠ સચિવો સહીત અન્ય મહાનુભાવો, રાજ્ય સરકારના તથા ગુજરાત વડી અદાલતના ઉચ્ચાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા