ચીખલી: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદે ખેડૂતોમાં ખુશીઓનું વાતાવરણ રેલાવ્યું છે ત્યારે આજ વરસાદે ગતરોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચાસા ગામના પથ્થર ફળિયામાં રહેતા વિધવા બેન ધનીબેન પરભુભાઈ ઢોડિયા પટેલનું તારીખ ગતરોજ રોજ રાત્રે 9:00 વાગ્યાના સમયે ભારે વરસાદના કારણે છત છીનવી લીધાનો કિસ્સો સામે આવ્યો છે.

Decision Newsને મળેલી વિગતો અનુસાર ગતરોજ નવસારીના ચીખલી તાલુકાના ચાસા ગામમાં પથ્થર ફળિયામાં રહેતા ધનીબેન પરભુભાઈ ધોડિયા પટેલ છેલ્લા બે-ત્રણ દિવસથી નવસારી જિલ્લામાં ભારે વરસેલા વરસાદી ઝાપટાંના કારણે તેમનું ઘર તૂટીને જમીન ધ્વસ્ત થઈ ગયું હતું. આ ગરીબ અને વિધવા બેનના ઘરમાં રાખેલી બધી ઘરવખરીનો સમાન ખરાબ થઈ ગયો હોવાના કારણે આ આદિવાસી બેન હાલમાં ખુબ જ કપરી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે.

આ કુદરતી આફતની જાણ થતા જ ગામના સરપંચ રમેશભાઈ હળપતિએ સરકારી તંત્રને જાણ કરવામાં આવી ત્યારે ચાસા ગામના તલાટી કમમંત્રી સંધ્યાબેન ટંડેલ સ્થળની મુલાકાત કરી પંચકેસ કરેલ છે. અને ધનીબેનનું કહેવું છે કે સરકાર સહાય કરે.