વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ગામોમાં અજાણ્યા શખ્સોની લાશ મળ્યાનો સિલસિલો યથાવત છે એમ કહેવામાં ખોટું નથી. ત્યારે તાજા જાણકારી મળ્યા અનુસાર વાંસદા તાલુકાના લાકડબારી ગામના બારી ફળીયામાંથી પસાર થતી નદીમાંથી કોઈ અજાણ્યા યુવકની લાશ મળ્યાની ખબર આવી રહી છે.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે વાંસદાના લાકડબારી ગામમાંથી પસાર થતી નદીમાં કોઈ અજાણ્યા યુવકની લાશ પાણીમાં તરતી હોઅવાની જાણકારી મળતાં જ લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું.આ ઘટનાની જાણ પોલીસને કારી દેવામાં આવી છે પોલીસ ઘટના સ્થળ પર પોહચી ઓળખની અને લાશને બહાર કાઢવાની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. લોકો દ્વારા અનેક તર્ક-વિતર્ક લગાવી રહ્યા છે. જુઓ વિડીયોમાં..

સ્થાનિક સુત્રોનું કહેવું છે કે લગભગ આ બનાવ અંગે 5:30 વાગ્યાના સમયગાળામાં ખબર પડી હતી અને વાયુ વેગે આસપાસના ગામોમાં વાત વહેતી થવાથી લોકોના ટોળા આ અજાણી લાશને જોવા એકઠા થઇ ગયા હતા હાલમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે.