વાંસદા: આજરોજ બીલીમોરા અને વઘઈ નેરોગેજ ટ્રેન ફરીથી ચાલુ કરવામાં આવી હતી ત્યારે લગભગ 1 વાગ્યાની આસપાસ ઉનાઈ સ્ટેશને આવી પહોચી હતી અહીના સ્થાનિક ધારાસભ્ય અનંત પટેલ ટ્રેનનું સ્વાગત કરવા માંગતા હતા પરંતુ તેને ભાજપના આગેવાનો દ્વારા ટ્રેનના ડબ્બામાંથી ધક્કો મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે અને ત્યાર બાદ સ્થળ પર હોબાળો મચી ગયો હતો. જુઓ આ વિડીયોમાં..

ત્યાર બાદ ધારાસભ્ય અનંત પટેલ તેમના સમર્થકો સાથે રેલવેના પાટા પર બેસી ગયા હતા થોડી વાર બાદ અનંત પટેલ ટ્રેનનું સ્વાગત કર્યું હતું અને આખી ઘટના સમાધાન તરફ આગળ વધી મામલો શાંત થયો હતો.