કપરાડા: આજરોજ યુવા મોરચો કપરાડા કારોબારી સમિતિની પાનસ ડુંગરી ખાતે આવનારા સમયમાં ભાજપ પક્ષને વિજયી બનાવવા કાર્યકર્તાઓનું સ્થાનિક સ્તરે કાર્યરત સંગઠન બનાવવા માટે આયોજન માટે મિટિંગ યોજવામાં આવી હતી.

DECISION NEWSને મળેલી માહિતી મુજબ આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ આદિજાતિ મંત્રીશ્રી ગણેશભાઈ બિરારી, યુવા મોરચો, વલસાડ ઉપપ્રમુખશ્રી કિરણભાઈ ભોયા, યુવા મોરચો, કપરાડા પ્રમુખશ્રી વિપુલભાઈ ભોયા, મહામંત્રીશ્રી દિવ્યેશભાઈ રાઉત, ઉપપ્રમુખશ્રી વિજયભાઈ ગાવઢા, મંત્રીશ્રી પ્રકાશભાઈ ગાંગોડા, કોષાધ્યક્ષ શંકરભાઈ બિરારી જિલ્લા કારોબારી સભ્ય કલ્પેશ ચૌધરી જિલ્લા કારોબારી સભ્ય મહેન્દ્ર પવાર તેમજ તાલુકા કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.

જેમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ આદિજાતિ મંત્રીશ્રી ગણેશભાઈ બિરારીએ જણાવ્યું કે આવનારા સમયમાં કપરાડા તાલુકામાં લોકોના વિકાસના કામો કરવા અને ભાજપ પાર્ટીના સંગઠનને મજબુત કરી કર્મનિષ્ઠ કાર્યકરો સમાજમાં કામ કરવાનું છે.