વાંસદા: અગામી સમયમાં વાંસદા તાલુકામાં ૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી નિમિત્તે આદિવાસી સમાજના યુવાનો દ્વારા ઉજવણી કરવા માટે શહેરના જાહેર સ્થળો પર બેનરો લગાવવાની જોરશોરની તૈયારી થઇ રહ્યાનું દેખાય રહ્યું છે.

Decision News મેળવેલી માહિતી અનુસાર અગામી ૯ ઓગસ્ટના દિને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વાંસદા તાલુકાના આદિ વાસી યુવાનો વાંસદાના કુંકણા સમાજ હોલ ખાતે કરવા જઈ રહ્યા છે ત્યારે યુવાનો દ્વારા શહેરના સર્કલો અને જાહેર સ્થળો પર વિશ્વ આદિવાસી દિવસની શુભકામના પાઠવતા અને કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ આપતા બેનરો લગાવતા જોવા મળી રહ્યા છે.

પોતાના હક અને અધિકારોની સાથે પોતાના કર્તવ્ય નિભાવવા જાગૃત બનેલા આદિવાસી યુવાનોમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનો ખુબ જ ઉત્સાહ દેખાય રહ્યો છે. પોતાના સમાજમાં લોકોને જાગૃત કરવાની આ યુવા જનરેશનને ખરેખર સલામ કરવાનું મન થાય છે.