કપરાડા: વલસાડના કપરાડા તાલુકાના માંડવા ગામમાં આવેલ નીલકંઠ ઢાબાની સામે ચાંદવેગણ ગામના કંપનીમાં કામ કરતા યુવાન સુરેશભાઈ મનસુખભાઈ ગુનગુયાનું આજરોજ સવારે ૮:૩૦ કલાકે થયેલા અકસ્માતની ઘટના બનતા સ્થળ પર જ કમકમાટી મૃત્યુ થયાનું પ્રકાશમાં આવી છે.

કપરાડા તાલુકાના ૧૦૮ એમ્બુલન્સ પર સેવા બજાવતા જીગ્નેશભાઈ પરથી Decision Newsને મળેલી માહિતી અનુસાર આ કંપનીમાં કામ કરતો યુવાન પોતાની ડ્યુટી પતાવી ઘરે ફરતા માંડવા ખાતે પોતાની મુકેલી બાઈક લઇ ઘરે જવા નીકળ્યો ત્યારે બાઈક માંડવા ગામમાં આવેલ નીલકંઠ ઢાબાની સામે MH-46-BF-6598 નંબરના ટેમ્પા સાથે ગંભીર રીતે અથડાતા સુરેશભાઈ મનસુખભાઈ ગુનગુયાને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. અકસ્માતમાં મૃત્યુ પામેલને કપરાડાના આરોગ્ય કેન્દ્રમાં PM માટે ખસેડવામાં આવ્યા હતા.

હાલમાં મળેલી તાજા જાણકારી અનુસાર આ અકસ્માત વિશે પોલીસે પરિવારજનોને જાણ કરી, બનાવની આગળની વધુ તપાસ કપરાડા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે