ગુજરાતમાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 495 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 2 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4367 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 6193 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,45,807 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 54 દર્દી વેન્ટીલેટર પર છે અને 6139 લોકો સ્ટેબલ છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે અમદાવાદ કોર્પોરેશનમાં કુલ 2 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.
રાજ્યમાં આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 98, સુરત કોર્પોરેશનમાં 86, વડોદરા કોર્પોરેશનમાં 74, રાજકોટ કોર્પોરેશનમાં 59, વડોદરા 24, દાહોદ 16, રાજકોટ 14, કચ્છ 13, જૂનાગઢ 10, ભરૂચ 9, સુરત 9, ગાંધીનગર 8, ગાંધીનગર કોર્પરેશનમાં 7 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં આજે કુલ 700 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 95.88 ટકા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આજની તારીખે 4,67,557 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)