ગુજરાત સહીત દેશના અનેક રાજ્યો બર્ડ ફ્લુની ચપેટમાં આવી ગયા છે. દેશમાં અનેક સ્થળોએ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને રાજ્યોને બર્ડ ફ્લુ સામે આગમચેતી પગલા ભરવા માટે ચેતવણી પણ આપવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં અનેક સ્થળે મૃત પક્ષી મળી આવતા ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર ગુજરાતમાં બર્ડ ફ્લુની પુષ્ટ થયા બાદ પક્ષી પ્રેમીઓમાં મિશ્ર લાગણી જોવા મળી રહી છે. એક બાજુ ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો બીજી બાજુ પક્ષીઓ મોત ને કારણે દુઃખની લાગણી પણ જોવા મળી રહી છે.

મળતી માહિતી મુજબ માંગરોળ હાઈવે પરથી 70 કાગળા, જૂનાગઢમાં 6 બગલાનાં મોત થયાં હતાં. તેવી જ રીતે કચ્છમાં 38 કાગડાનાં શંકાસ્પદ મોત થયા છે. અંજારના ભીમાસર ગામમાં કાગડાના મોત થયાછે. ગામના તળાવ પાસેથી મૃત કાગડા મળી આવ્યા છે. બર્ડફ્લૂની દહેશત વચ્ચે ઘટનાથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો સાથે ગીરસોમનાથમાં પણ પક્ષીઓના શંકાસ્પદ મોત થયા છે. ડોળાશામાં 4 કુંજ પક્ષીના શંકાસ્પદ મોત થયા છે. તેવી જ રીતે રાજપીપળામાં 6 કાગડાના શંકાસ્પદ મોત થયાં છે. ચિખલીમાં ખેડૂતોના ફાર્મમાં 150 મરઘાના મોત થયા છે. ફાર્મમાં રોજ 8 થી 10 મરઘાના મોત થી રહ્યાનું પણ સામે આવ્યું છે. ખેડૂતો દ્વારા વનવિભાગને જાણ કરાઈ છે.

ડાંગમાં પણ 10 થી વધુ કાગડાઓના મોત થયા છે. શંકાસ્પદ મોતને પગલે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. વઘઈમાં કાગડાના શંકાસ્પદ મોતથી ભયનો માહોલ  જોવા મળી રહ્યો છે.