ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 741 કેસ નોંધાયા છે. જેની સામે 922 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 5 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4314 થયો છે. આજે રાજ્યમાં કુલ 52,980 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.41ટકા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 147, અમદાવાદ જિલ્લામાં 5, સુરતમાં 105, સુરત જિલ્લામાં 37, વડોદરા શહેરમાં 101, વડોદરા જિલ્લામાં 30, રાજકોટ શહેરમાં 51, રાજકોટ જિલ્લામાં 24, ગાંધીનગર શહેરમાં 8, ગાંધીનગર જિલ્લામાં 10, કચ્છ, જૂનાગઢમાં 26, પંચમહાલમાં 19, દાહોદમાં 18, આણંદમાં 15, ખેડા, મહેસાણામાં 14-14, ભરુચમાં 10 સહિત 741 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના કારણે 24 કલાકમાં 5 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં 3 જ્યારે સુરત અને વડોદરામાં 1-1 દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં 150, અમદાવાદ જિલ્લામાં 6, સુરત શહેરમાં 118, સુરત જિલ્લામાં 26 વડોદરા શહેરમાં 319, વડોદરા જિલ્લામાં 32, રાજકોટ શહેરમાં 47, રાજકોટ જિલ્લામાં 24, ગાંધીનગર શહેરમાં 16, ગાંધીનગર જિલ્લામાં 14, ભરુચમાં 40, કચ્છમાં 35, સુરેન્દ્રનગરમાં 19 સહિત 922 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 9477 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 62 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 9415 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,32,722 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.