પ્રતીકાત્માક ફોટોગ્રાફ્સ

ભારતમાં કોરોના સંક્રમિતના કારણે થયેલા મોતની સંખ્યા ૧.૪૦ લાખને પાર થઈ ગઈ છે. તેની સાથે જે કુલ સંક્રમિતોની સંખ્યા ૯૬.૪૪ લાખને પાર થઈ ગઈ છે. રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૬,૦૧૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે ૪૮૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૯૬,૪૪,૨૨૨ થઈ ગઈ છે.

ભારતમાં કોવિડ-19 ની મહામારી સામે લડીને ૯૧ લાખ ૭૯૨ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૪૧,૯૭૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૪,03,૨૪૮ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૪૦,૧૮૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

વધુમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૫ ડિસેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૪,૬૯,૮૬,૫૭૫ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, શનિવારના ૨૪ કલાકમાં (૧૧,૦૧,૦૬૩ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.