સુરત: સમગ્ર રાજ્યમાં જેમ સુરતમાં પણ કોરોના વાયરસના કેસોમાં ધરખમ પ્રમાણમાં વધી રહ્યા છે. સુરતમાં સતત કેસોની સંખ્યા દિવાળીના પર્વ પહેલા કેસોની સંખ્યા 150 જેટલી સરેરાશ જોવા મળતી હતી. ત્યારબાદ આ કેસોની સંખ્યા અઢીસોને પાર થઈ ગઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં કુલ ૩ કરોડથી વધુનો દંડ લોકો પાસેથી વસૂલ કર્યો છે. ખાસ કરીને માસ્ક વગરના તેમજ સોશિયલ ડિસ્ટસિંગનું પાલન નહીં કરનારા લોકો પાસેથી વસૂલાયો છે.

નવાઈની વાત તો એ છે કે લોકો પાસેથી દંડની આટલી માલબર રકમ વસૂલ કરવા છતાં લોકો સમજવાનું નામ નથી લઈ રહ્યાં. કેન્દ્ર સરકારની ગાઇડ લાઇનનું પણ લોકો પાલન નથી કરી રહ્યાં. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા એક ‘માસ્ક નહિ તો ટોકેંગે, કોરોના કો ભગાયેંગે.’ નામનું અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ માસ્ક વગર ફરતા લોકોને પકડશે અને તેઓને કોરોનાથી કઈ રીતે મૃત્યુ થઇ શકે તે અંગે પણ સમજણ આપવામાં આવશે. જો સમજણ આપ્યા બાદ પણ ફરી આ વ્યક્તિને પકડશે તો તેની પાસેથી દંડ વસૂલવામાં આવશે. સુરત મહાનગરપાલિકા આ અભિયાનનો નિર્ણય કેવો જનમત જોવા મળશે એ જોવું રસપ્રદ રહશે.