હાલમાં દેશમાં દિવાળી અને નવા વર્ષના ઉત્સવોની ઉજવણી ધામધૂમથી તહી રહી છે આપણા દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીનું   દરમિયાન ફોડતા ફટાકડા વિષે ગાંધીજીના વિચારો જાણવા કોઇએ ગાંધીજી પર પત્ર લખ્યો હતો અને તેના જવાબમાં ગાંધીજીએ ૨૫ ઓકટોબર ૧૯૨૮ના યંગ ઇન્ડિયા અંક લખ્યો હતો. તે અનુસાર તેમણે કહ્યું કે ‘મારુ ચાલે તો દિવાળીની રજાઓમાં લોકોને ઘરોની સફાઇ કરવા અને બાળકોને નિદોર્ષ પ્રકારનો આનંદ મળે તે માટેનું શિક્ષણ આપવા મજબૂર કરી દઉં. હું જાણું છું કે બાળકોને આતશબાજીમાં ખૂબજ મજા આવે છે પરંતુ આપણે વડીલોએ જ બાળકોને ફટાકડાના આદિ બનાવી દીધા છે’.

     ગાંધીજી વધુ નોધતાં મેં આફ્રિકામાં જોયું હતું કે સરળ પ્રકૃતિના બાળકોને આતશબાજીની કોઇ ઘેલછા નથી તેના સ્થાને તેઓ નૃત્ય કરે છે. આતશબાજી છોડીને બચાવેલા પૈસામાંથી થોડા પૈસા પણ ખાદી માટે અવશ્ય આપવા જોઇએ. જો ખાદીની ચીડ હોય તો દરિદ્રનારાયણની સેવા થતી હોય એવી જગ્યાએ દાન આપવું જોઇએ. સ્ત્રી પુરુષ બાળકો અને વૃદ્ધો માટે આનાથી વધારે હર્ષ જનક વાત બીજી કોઇ હોઇ શકે નહી.

    દેશમાં દિવાળીમાં થતી આતશબાજી અંગે ગાંધીજીએ પોતાના વિચારો નવજીવનમાં પણ પ્રકાશિત કર્યા છે. એક હિંદી વેબસાઇટની માહિતી મુજબ ગાંધીજીએ ૩૧ ઓકટોબર ૧૯૨૦ના રોજના અંકમાં લખ્યું કે જો આપણે એમ કહીએ કે કળિયુગમાં ધૂમધામથી દિવાળી ઉજવવાનો અધિકાર નથી તો જરાં પણ અતિશયોકિત નથી. આ વાત ગાંધીજીએ બ્રિટીશ હકુમતનો જુલ્મ વધી ગયો હતો ત્યારે અસહકાર આંદોલન દરમિયાન ફટાકડા ફોડીને દિવાળી ઉજવતા લોકોના સંદર્ભમાં કહેલીની માહિતી પ્રાપ્ય છે.

    ઈ.સ ૧૯૪૬માં ૧૮ ઓકટોબરના રોજ ગાંધીજીએ એક વકતવ્યમાં કહયું કે મારી પાસે કેટલાક પત્રો આવ્યા છે. જેમાં ફટાકડા ફોડવા અંગે ફરીયાદ કરવામાં આવી છે. ખરેખર આ ફટાકડાની ફરીયાદો સાચી જ છે. હું અગાઉ પણ લખી ચૂકયો છું  હું જાણતો નથી કે મારા લખાણની કેટલી અસર થાય છે. ગાંધીજીએ આઝાદી પહેલાના ઝડપથી બદલાતા જતા ઘટનાક્રમને ટાંકીને કહયું કે હાલમાં ચારે તરફ હોળી સળગી રહી છે ત્યારે દિવાળી પર ફટાકડા ફોડવા, ઘી તેલના દિવા પ્રગટાવવા અને મીઠાઇઓ ખાવી જોઇએ નહી. ગાંધીજીએ દિવાળી વિષે વર્ષો પહેલા પ્રગટ કરેલા આ નિર્ણયો અને વિચારો આજે પણ આપણને સમજાઈ તો ઉપયોગી અને એટલા જ ચરીતાર્થ કરવા જેવા છે.