Ayodhya: Replica of the proposed Ram Mandir on display at Karsewakpuram, in Ayodhya, Monday, Nov. 11, 2019. (PTI Photo/Nand Kumar) (PTI11_11_2019_000052B)

અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે બનાવાયેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક ગુરુવારે દિલ્હીમાં યોજાઈ આ દમિયાન ટ્રસ્ટે કહ્યું કે, મંદિર નિર્માણ શરૂ થઈ ગયું છે. 36-40 મહિના એટલે કે લગભગ સાડા ત્રણ વર્ષમાં કામ પુરુ થાય તેવી આશા છે.

મંદિર નિર્માણ સાથે જોડાયેલી 5 ખાસ વાતો

  • ભૂકંપ- તોફાનખી બચાવવા માટે પરંપરાગત ટેકનીકથી નિર્માણ થશે.
  • પથ્થરને જોડવા માટે તાંબાના 1 હજાર પતરાં ઉપયોગમાં લેવાશે
  • તાંબાના પતરા આપનાર પરિવાર, વિસ્તાર અથવા મંદિરનું નામ પતરાં પર લખાશે
  • મંદિર નિર્માણમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવશે નહીં

કન્સ્ટ્રક્શનમાં લાગતા પથ્થરોને જોડવા માટે તાંબાના પતરાંઓનો ઉપયોગ કરાશે. જેના માટે 18 ઈંચ લાંબા, 3 મિલીમીટર ઊંડી અને 30 મિલીમીટર પહોંળાઈના 10 હજાર પતરાંની જરૂર પડશે. ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે, ભક્તોને તાંબાના પતરાં દાન કરવાની અપીલ કરવામાં આવી છે. દાન આપનાર વ્યક્તિ આ પતરાં પર પોતાના પરિવાર, વિસ્તાર અથવા મંદિરોનું નામ મઢાવી શકે છે. આ પ્રકારના તાંબાના પતરાં માત્ર દેશની એકતાનું ઉદાહરણ જ નહીં, પણ મંદિર નિર્માણમાં આખા દેશના યોગદાનનો પુરાવો પણ આપશે.

ટ્રસ્ટના ૩૬ થી ૪૦ મહિનામાં મંદિર નિર્માણ અંગેના દાવા વિષે લોકનિર્ણયો જોવા રસપ્રદ બનશે