તાપી: તાપીના ડોલવણ,વરજાખણ ગામમાં પત્ની પુત્રીના મૃતદેહ ઘરનાં ખાટલા પર અને યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં મળ્યો.ડોલવણના વરજાખણ ગામમાં પરિવારના ત્રણ સભ્યોના એકસાથે મોતની ઘટનાએ સમગ્ર જિલ્લાને હચમચાવી દીધો છે. 24 વર્ષીય માતા અને 7 વર્ષીય દીકરીનો મૃતદેહ ખાટલામાંથી તેમજ પિતાએ ઘરમાં જ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા. પોલીસે મૃતક યુવાનની માતાની ફરિયાદના આધારે તપાસનો દોર આરંભ્યો છે.

ડોલવણ તાલુકાના વરજાખણ ગામના રહીશ જતીનભાઈ સરમુખભાઈ પટેલના લગ્ન બમણામાળના સુલોચનાબેન પટેલ સાથે થયા હતા. જેઓના લગ્નજીવન દરમિયાન દીકરી મિશ્વાકુમારીનો જન્મ થયો હતો.Decision Newsને મળેલ માહિતી મુજબ તા.26/6/2025 ની રાતે કોઈ અગમ્ય કારણોસર જતીનભાઈ પટેલ (ઉ.વ.32) એ પત્ની સુલોચનાબેન (ઉ.વ.24) અને દીકરી મિશ્વાકુમારી (ઉ.વ.7) ને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધા બાદ જેઓ પોતે ઘરનાં લોખંડના એગલ સાથે નાઈલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું હતું.

આજરોજ સવારે માતા પિતા અને દીકરી ત્રણેને મૃત હાલતમાં જોવા મળતાં ફળિયામાં તેમજ ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. યુવાવયે જ આખા પરિવાનો માળો વિખરાઈ ગયો હતો. માસૂમ મિશ્વાની હત્યા કરતાં પણ પિતાનું કાળજું ન કંપી ઉઠયું હશે ના પ્રશ્નો ઉઠયા હતાં. મૃતક જતીનની માતા નીતાબેન સરમુખભાઈ ઢોડિયા પટેલ (ઉ.વ.50) ની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. દેવાના ભારણ કે કોઈ અન્ય કારણસર જવાબદાર રહ્યા છે તે પણ તપાસનો વિષય છે. યુવાન જતીનએ કયા કારણોસર આવું પગલું લીધું હશે તે પ્રશ્ન ગામમાં તેમજ પરિવારમાં ચર્ચાસ્પદ બન્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here