ધરમપુર:પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે ધરમપુરના લોક મંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા “મારી થેલી” અભિયાન ચલાવી રહ્યું છે જેમાં ધરમપુર નગરજનો અને ધરમપુર તાલુકાના ગામડાંના લોકોને પ્લાસ્ટિકની થેલી નો ઉપયોગ નહીં પણ કાપડની થેલીનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
પર્યાવરણ સંવર્ધન અને સુરક્ષાની નેમ લઈ “મારી થેલી” અભિયાન અંતર્ગત લોક મંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્લાસ્ટિક બેગને ના કહો થીમ. નાગરિકો પાસેથી એકત્ર થયેલા જૂના કે ન વપરાતા કપડાંમાંથી પર્યાવરણને અનુકૂળ, ટકાઉ અને પુનઃવાપરી શકાય તેવી કાપડની થેલીઓ તૈયાર કરવામાં આવી રહી છે. આ પહેલથી પ્લાસ્ટિકના બદલે કાપડની થેલીઓ વાપરવાની સંસ્કૃતિ ઉભી કરવા સાથે સાથે પર્યાવરણીય જાગૃતિનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ અભિયાનને લઈને લોકમંગલમના ટ્રસ્ટી અજય પટેલ જણાવે છે કે, ધરમપુરની જનતા દ્વારા આપેલા અથવા ન વપરાયેલા કપડાનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ કાપડ ની થેલીઓ અમે તૈયાર કરી છે, જે ટકાઉપણું અને પર્યાવરણીય જાગૃતિને પ્રોત્સાહન આપવાનો અમારો મુખ્ય ઉદ્દેશ છે. ધરમપુર નગરજનો પર્યાવરણનું મહત્વ સમજે છે અને લોકો અને વેપારીઓ પણ પ્લાસ્ટિકની થેલી છોડી કાપડની થેલી અપનાવશે એવો અમને વિશ્વાસ છે.

