દિલ્લી: સુપ્રિમ કોર્ટે ગઈકાલે એક મહત્વનો ફેસલો લેતા જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવનાર દરેક વ્યક્તિ સાથે ગરિમાપૂર્વક વર્તન કરવું પડશે. તે તેનો હકદાર છે. આ તેનો બંધારણની કલમ-21 અંતર્ગત મૌલિક અધિકાર છે.
જસ્ટીસ અભય એસ. ઓકા અને જસ્ટીસ ઉજજલ ભુઈયાની બેન્ચે આ ટિપ્પણી તામિલનાડુના રાજય માનવાધિકાર આયોગના એ આદેશને યથાવત રાખીને કરી હતી, જેમાં રાજય સરકાર પર બે લાખનો દંડ લગાવવામાં આવ્યો હતો.
આ રકમ એ પોલીસ ઓફીસર પાસેથી વસુલવામાં આવે જેણે એફઆઈઆર કરવાનો ઈન્કાર કર્યો હતો અને એ લોકો સાથે ખોટો વ્યવહાર પણ કર્યો હતો.
ફરિયાદીઓ 13 લાખની કથિત ઠગાઈ અને ઉચાપતની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સુપ્રીમકોર્ટે ટિપ્પણી કરી હતી કે, આ કેસના તથ્ય ચોંકાવનારા છે. ફરિયાદીએ એફઆઈઆર કરાવવાની માંગ કરી હતી, જેનો માત્ર ઈન્કાર જ નહોતો કરાયો. બલ્કે ફરિયાદની માતા સાથે વાંધાજનક વ્યવહાર કરાયો હતો.

