વાંસદા: વાંસદા તાલુકામાં 96 ગામો સમાવિષ્ટ છે જેમાં મોટાભાગના ગામો બોડર વિલેજના ગામો છે જેમાં મોટાભાગના ગામો ડુંગરાળ વિસ્તાર ધરાવે છે જેથી અહીં રસ્તાઓ પર આવાગમન કરવા માટે વર્ષોથી પ્રજા મુશ્કેલી વેઠી રહી છે એવા બોડર વિલેજના ગામોમાં ઉબડ ખાબડ રસ્તોનું નવીનીકરણ કરવા માટે અને પ્રજાને ભિગવવી ઓળતી હાડમારીના નિરાકરણ માટે સરકારશ્રી દ્વારા રોડ રસ્તા બાબતે વિકાસના કામો કરી છેક અંતરિયાળ વિસ્તારમાં 15માં નાણાંપાંચની યોજના થકી આદિવાસી પ્રજાની સુખાકારી માટે અને આવાગમન માટે નાના નાના રસ્તાઓની લાખો કરોડોની ગ્રાન્ટ આપવામાં આવી રહી છે પરંતુ રસ્તાઓ બનાવવામાં નકરી વેઠ ઉતારવાનો કારણે સરકારશ્રીની ગ્રાન્ટ એળે ગઈ હોવાનું પ્રતીત થઈ રહ્યું છે.

Decision News ને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ હાલમાં વાંસદા તાલુકાના અનેક ગામોમાં બોસો,ત્રણસો મીટરના અનેક રસ્તાઓ નિર્માણ પામ્યા છે જેમાં કોન્ટ્રકટરો દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર કરી રસ્તાઓ સાવ તકલાદી બનાવી દેવામાં આવતા હોય છે જેને કારણે રસ્તો આવાગમન માટે ખુલ્લો મુકતા એકાદ મોટું વાહન પસાર થતાની સાથે રસ્તો બેસી જવા પામતો હોય છે તેમજ રસ્તાની સાઈડ સોલ્ડરે ડામરની નહિવત ઉપયોગ કરવાનો લઈ સાઈડની ધાર પરથી મોટી કાપચીઓ ઉખડી જવા પામતી હોય છે તેમજ રસ્તો બામાવતી વખતે કોન્ટ્રાકટર દ્વારા પોતાની મનમાની પ્રમાણે રસ્તો બાનાવી દેવામાં આવતો હોય છે જેમાં માટીવાળો જૂનો રસ્તો હોય છે જેના પર માટીની સાફસફાઈ કરવા વગર મોટા કપચા અને ઝીણી કપચી નાખી નહિવત ડામર નાખી એના પર છારૂ પથરી દેવામાં આવતું હોય છે જેના પર રોડ રોલર પણ માત્ર એકાદ વખત ફેરવવામા આવતું હોય છે જેને લઈ રસ્તો બની જતો હોય છે પરંતુ રસ્તાની ગુવણતાં જળવાતી નથી બાદમાં રસ્તો ગોળ દાણાની ચીક્કી ઉખડે એમ ઉખડવા લાગતો હોય છે જે ચોમાસાની સરુવાતમાં જ ધોવાઈ જાય તો નવાઈ નથી રસ્તાની આવી પરિસ્થિતિ જોવા છતાં રસ્તાઓનું નિરીક્ષણ કરવા જતાં અધિકારીઓને રસ્તા બાબતે અનેક ક્ષતિઓ દેખાતી નથી કે પછી ગાંધીછાપને કારણે આંખો અંજાઈ રહી છે કે કેમ એવુ સ્થાની પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે

પ્રજાની સુખાકારી માટે કરોડો ખર્ચ કરતી સરકારના ઉચ્ચ અધિકારીઓ અને સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આ બાબતે સજાગ થઈ રસ્તામાં થતા ભ્રષ્ટાચાર અટકાવવાની જરૂર જણાઈ રહી છે તેમજ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે રસ્તાઓની ગુવણતાં સામે ઉઠી રહેલા સવાલો અને પ્રજાએ ભોગવવી પડતી મુશ્કેલીની અસર અધિકારીઓને પડવાની નથી આ અસર સરકારને પડે નવાઈ નથી જેથી ઉચ્ચ કક્ષાએથી અધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ વિઝીટ કરવામાં આવે તો વાંસદા તાલુકામાં રસ્તાઓ બાબતે દૂધનું દૂધ અને પાણીની પાણી થાય એમ છે