બારડોલી: થોડા દિવસ પહેલાં બારડોલીની કોર્ટમાં પતિ પત્ની છૂટાછેડા ના કેસમાં મહિલા પક્ષકારે આદિજાતિના હોય તેથી હિન્દુ એક્ટ લાગુ પડતો નથી તે મુજબની વચગાળાની કરેલી અરજી હિંદુ ધર્મ રીતી રિવાજ મુજબ લગ્ન કરનાર તથા હિન્દુ ધર્મ પાળતા હોવાના પુરાવા રેકોર્ડ પર રજૂ કરનાર એડવોકેટ મોના.ડી.પંડ્યા ની દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે મહિલા પક્ષકારે કરેલી અરજી રદ કરવા હુકમ કર્યો હતો.

આ કેસની વિગત વાત કરીએ તો બારડોલીના સિનિયર સિવીલ જડજ સાહેબ શ્રી ની કોર્ટમાં અરજદાર પતિ સુજીન પટેલ વિરુદ્ધ પરિણીતા વિલાસબેન પટેલ એ બારડોલી કોર્ટમાં છૂટાછેડા માટે હિન્દુ મેરેજ એક્ટની કલમ 13 (1), i (a), (i)(b) મુજબ અરજી કરેલી હતી. પરિણીતાની આંક- 18 ની અરજી ધ્યાને લેતા, અરજદારે હિન્દુ મેરેજ એક્ટની કલમ – 13 (1), i(a), i(b) મુજબ કરેલ છે અને અરજદારે તે છેલ્લા સાત વર્ષથી જુદા રહેતા હોવાનું જણાવી લગ્નના હક્કોથી વંચિત રાખી પરિણીતા શારીરિક માનસિક ક્રુરતા આચરતાનું જણાવી છુટાછેડાની દાદ માંગે છે. આ કામે બંને પક્ષકારો ઢોડિયા પટેલ જ્ઞાતિના જણાવે છે જે અનુસૂચિત આદિજાતિના છે જેને હિન્દુ કાયદો લાગુ પડતો નથી. આથી કલમ- 2 માં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારનું જાહેરનામું પ્રસિદ્ધ ન કરે અને અનુચ્છેદ-396 ના ખંડ -25 મુજબ તે લાગુ પડતું ન હોય તેથી કરીને અરજદારની અરજી ચાલી શકે નહીં તેથી ઓર્ડર-7 રૂલ -11 મુજબ અરજી રદ કરવા જણાવેલ છે.

પરિણીતા સાથે જે લગ્ન થયેલ તે હિંદુ ધર્મ મુજબ કેદારેશ્વર મંદિર બારડોલી મુકામે થયેલ તેવું પરિણીતા ખુદ જણાવે છે. આમ તેઓ હિન્દુ ધર્મ પાળે છે અને હિંદુ વિધિથી તેમના લગ્ન થયા છે. અરજદારએ કલમ- 24 મુજબ વચગાળાની અરજી આપેલ જે અંગે નામદાર કોર્ટે મુદ્દા કાઢયા બાદ ઉલટ તપાસમાં ખોટી અરજી આપેલ છે જેથી તે રદ કરવા જણાવેલ છે. આમ અરજદાર પતિના વકીલ શ્રી મોના.ડી. પંડ્યાને સાંભળીને નામદાર કોર્ટે 23 જાન્યુ.2024 ના રોજ હુકમ કરેલ છે કે પરિણીતાની આંક-18 ની અરજી નામંજૂર કરવામાં આવે છે.