ચીખલી: 6 ફેબ્રુ. 2024 ના રોજ વિશ્વ રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરે દ્વારા લખવામાં આવેલું ભારતનું બંધારણ જે ચીખલી તાલુકાના ઘેજ 30 જાન્યુ. 2024 રોજ ગ્રામ પંચાયત ખાતે ઠરાવ કરી પ્રાથમિક શાળા સ્કૂલમાં બાળકોને ભારતનું બંધારણ ભણાવવામાં માટે નો ઠરાવ કરવામાં આવ્યો હતો.

Decision News ચીખલી તાલુકાના ઘેજ 30 જાન્યુ. 2024 રોજ ગ્રામ પંચાયત ખાતે ઠરાવ કરી પ્રાથમિક શાળા સ્કૂલમાં બાળકોને ભારતનું બંધારણ ભણાવવામાં માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો. ઘેજ ગામના ગ્રામજનોનું કહેવું છે કે બાળકોને ભારતના બંધારણ આપવામાં આવેલા વિશેષ અધિકારો જાણી શકે એવા શુભ ઉદ્દેશ સાથે આ પહેલ કરવામાં આવી છે.

આ ઉપરાંત ચીખલીના ધેજ ગામમાં ભારતના બંધારણમાં આપવામાં આવેલ અનુસૂચિ 5 ની અમલવારી માટે ખેરગામ તાલુકાના હદમાં ગ્રામજનો દ્વારા સર્વાનુમતે ઠરાવ કરી 6 ફેબ્રુ. 2024 ના રોજ બોર્ડ લગાવવામાં આવ્યા. આ પ્રસંગે ઘેજ ગામના ક્રાંતિકારી નવયુવા આદિવાસી આગેવાનો હાજર રહ્યા હતા.