ધરમપુર: આજરોજ પ્રાંત અધિકારીશ્રી ધરમપુરને નેશનલ 56 વાપીથી શામળાજી રોડમાં કરવડ થી ખાનપુર સુધી અંદાજીત 22.5 કરોડ રૂપિયાના રોડમાં ભ્રષ્ટાચાર કરેલ હોય જેની કાર્યવાહી કરવા બાબત રજુઆત કરવામાં આવી હતી.

જુઓ વિડિઓ…

ઉલ્લેખનીય છે કે તા 23/03/2023 ના રોજ લેખિત ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પણ આ એજન્સી દ્વારા આ રોડમાં ખુબ જ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ હોય એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે પહેલા જ વરસાદે આ રોડ ઘણી જગ્યાએ ખાડાઓ પડી ગયા હતા અને માન નદીના પુલ પાસે મોટા ખાડાઓ પડી જવાના કારણે કેટલા લોકો અકસ્માતના ભોગ પણ બની ચૂકયા છે.

આ બાબતે કલ્પેશ પટેલ જણાવે છે કે મને માહિતી છે ત્યાં સુધી રોડ બનાવનાર એજન્સીએ નવેમ્બર થી કામ ચાલુ કરી એપ્રિલમાં કામ પૂર્ણ કરવાનો સમય મર્યાદા હોય પરંતુ કામ મોડું ચાલુ કરવામાં આવ્યું હતું અને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવામાં એમણે ખૂબ ભ્રષ્ટાચાર કર્યો હોવાનું દેખાઈ રહ્યું છે. જો આ રસ્તા પર પડેલ ખાડાના કારણે કોઈપણ વ્યક્તિ અકસ્માતનો ભોગ બને તો એનું વળતર આ કોન્ટ્રેક્ટરના માથે નાખવું જોઈએ. આ પ્રજાના ટેક્ષના પૈસા હોય જેથી આવું બોગસ કામ કરનાર એજન્સીને કાયમી માટે બ્લેકલિસ્ટ કરવામાં આવે અને હાલમાં આ ખાડાઓનું રીપેરીંગ કામ કરવામાં આવે જેથી કોઈ નિર્દોષ અકસ્માતનો ભોગ ન બને નહી તો આગામી દિવસોમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અને મારી ફરજ ના ભાગરૂપે હું ‘રસ્તા રોકો’ આંદોલન કરીશ.