ખેરગામ: નવસારી જિલ્લાના ખેરગામમા જનતા હાઇસ્કૂલ પાસે આવેલા બિરસા મુંડા સર્કલ પર મુકાયેલી બિરસા મુંડાની પ્રતિમાનું કોઈ અજાણ્યા તત્ત્વો દ્વારા નુકસાન કરવા આવ્યું હતું જેને લઈને આજે અસામાજિક તત્ત્વોની તાત્કાલિક ધરપકડ થાય અને સજા મળે ઉદ્દેશ સાથે આવેદનપત્ર આપવામાં આવશે.

જુઓ વિડીઓ…

Decision News ને મળેલી માહિતી મુજબ ખેરગામમાં જે આદિવાસી સમાજના જનનાયક એવા બિરસા મુંડાની પ્રતિમાને અસામાજિક તત્ત્વો દ્વારા ખંડિત કરી અસામાજિક આદિવાસી સમાજની લાગણી દુભાવવાનું કૃત્ય કર્યું છે જેને લઈને આ અસામાજિક તત્ત્વોની તાત્કાલિક ધરપકડ થાય અને કડકમાં કડક સજા થાય એવી માંગ સાથે આવનારા સોમવારના રોજ 11.15 કલાકે બિરસા આર્મી સંગઠન નવસારી દ્વારા ખેરગામ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે.

બિરસા આર્મી સાથે જોડાયેલા પંકજ પટેલ જણાવે છે કે અસામાજિક તત્વોને આદિવાસી સમાજની વધી રહેલી એકતા સહન થતી નથી. એટલે આવા હલકી માનસિકતા વાળા પ્રતિમાને ખંડિત કરવાનું કૃત્ય કરતાં હોય એમ લાગે છે. પણ આદિવાસી સમાજના વંદનીય એવા બિરસા મુંડાનુ આવું અપમાન બિરસા આર્મી નહિ સહન કરે. અમે વહીવટીતંત્ર ને ચેતવવા માગીએ છીએ જો તાત્કાલિક ધોરણે આ અસામાજિક તત્વોની ધરપકડ ન થાય તો 24-042023 ના રોજ અમે ભારે રેલી કાઢી વિરોધ નોધાવીશું. અને આ રેલી દરમિયાન જે કઈ થશે એનું જિમ્મેદાર વહીવટીતંત્ર રેહશે.