વાંસદા: આજરોજ વાંસદાના ઘોડમાળ ઉપલા ફળિયામાં કોરોનાકાળ બાદ પ્રથમ વખત રામનવમી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક વડીલ લોકોના જણાવ્યા અનુસાર લગભગ 50 થી વધુ વર્ષથી રામનવમી મહોત્સવની ઉજવણી થાય છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે આજના હિંદુ સંસ્કૃતિના પવિત્ર રામનવમી મહોત્સવનું વાંસદા તાલુકાના ઘોડમાળ ઉપલા ફળિયામાં મોટાપાયે આયોજન થયું હતું. આ પવિત્ર મહાપર્વ નિમિત્તે ભગવાન સત્યનાયણ ભગવાનની કથા, શાંતિ હવન તથા ધર્મ ધજારોહણ કરાયું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો આવી આ મહોત્સવની ભવ્યતામાં વધારો કર્યો.

આ કાર્યક્રમમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું. જેમાં રામરસનું વિશેષ મહત્વ છે. સાંજે પૂજા, આરતી અને ભજન સાથે દર્શન કર્યું. ગામમાં રામનવમીનો તહેવાર ખૂબ જ ભક્તિમય અને હર્ષો ઉલ્લાસ સાથે વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે છે.