સિનેવર્લ્ડ: છેલ્લા એકાદ વર્ષમાં ઇન્ડસ્ટ્રીમાંથી અનેક ખરાબ ખબરો આવી રહી છે. ત્યારે લગભગ પંદરેક દિવસ પહેલા પોપ્યુલર ઉડિયા અભિનેત્રી રશ્મિરેખા ઓઝાએ આત્મહત્યા કરી હતી અને હવે તેના બોયફ્રેન્ડ સંતોષ પાત્રાએ પણ આપઘાત કરી લીધો છે.

મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે 6 જુલાઇ બુધવારના રોજ ઓડિશાના રાઉરકેલાની બસંત કોલોની સ્થિત સંતોષ તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. 23 વર્ષિય રશ્મિરેખાએ 18 જૂનના રોજ આત્મહત્યા કરી હતી. તેનો મૃતદેહ ભુવનેશ્વરના નયાપાલી વિસ્તારમાં ભાડાના મકાનમાંથી મળી આવ્યો હતો.

પોલીસને ઘટનાસ્થળેથી અભિનેત્રીની સુસાઈડ નોટ પણ મળી હતી, જેમાં કોઈને જવાબદાર ઠેરવવામાં આવ્યા ન હતા. પરંતુ અભિનેત્રીના પિતાએ લિવ-ઈન પાર્ટનર સંતોષ પાત્રા પર આ મામલામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે અભિનેત્રીના આપઘાતના પંદરેક દિવસ બાદ તેના બોયફ્રેન્ડ સંતોષ પાત્રાએ પણ આત્મહત્યા કરી લીધી છે. અભિનેત્રીના મોતના થોડા દિવસો પહેલા જ સંતોષ પાત્રાએ બીજી જગ્યાએ રહેવાનું શરૂ કર્યું હતું. આ પહેલા બંને લિવ-ઈનમાં રહેતા હતા. અભિનેત્રીના મોત બાદથી પોલીસ સંતોષની પૂછપરછ કરી રહી હતી.