વાંસદા: આજરોજ ગુજરાતમાં પોલીસના ઊચ્ચ અધિકારીઓની ખંડણી જેવા ઘણા ભ્રષ્ટાચારમાં સંડોવણી સરકારના ચુંટાયેલા પ્રતીનીધીઓ દ્વારા બહાર આવ્યા છતાં સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં આવતાં આમ આદમી પાર્ટી વાંસદા દ્વારા આ ભ્રષ્ટાચાર વિરુધ્ધ ન્યાયીક તપાસની માંગ સાથે વાંસદા પોલિસ સ્ટાશનમાં PSI મારફતે આવેદન પત્ર આપવામાં આવ્યું.
આ આવેદનપત્રમાં ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ વિવિધ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઘ્વારા તેઓના મળતીયાઓ અને વહીવટદારો ઘ્વારા ખુબજ પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહીયો છે. એ બાબત નીર વિવાદ છે કે. સરકારના વિવિધ વિભાગો અને કચેરીઓ માં ભ્રષ્ટાચાર આપ્યા વગર આમ જનતાનું કોઈજ કામ થઇ શકતું નથી. અને ભ્રષ્ટાચાર એ આજના વહીવટ કામનો પર્યાય બની ચુક્યા છે. દરેક સરકારી કામ કરાવવા માટે દરેક કચેરીમાં ગેરકાયદેસર રીતે એક વહીવટદાર દલાલ કાર્યરત હોઈ છે. અને જે તે અધિકારી નાના કે મોટા કામમાં અમુક રકમ અમુક હિસો કે અમુક સાધન સામગ્રી કે ગિફ્ટ લીધા વગર આમ આદમીનું કોઈજ કામ કરતા નથી. આ ભ્રષ્ટાચાર બાબતો ને જનતા કે જનપ્રતિનિધિઓ ઘ્વારા જે તે વિભાગના વડા કે સરકારના મંત્રી-મંત્રલાય સુધી સચોટ રજૂઆતો કરવા છતાં સરકારો તેવા અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને નિયંત્રિત કરવામાં સતત નિષ્ફળ રહી છે.
તાજેતરમાં શ્રી મનોજ અગ્રવાલ IPS પોલીસ કમિશનર રાજકોટ શહેર અને તેમના તાબાની ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી ઘ્વારા રાજકોટના વેપારી સાથે થયેલા છેતરપિંડીના નાણાં આરોપી પાસેથી વસૂલી ૭૫ લાખ જેવી માતબર રકમ શ્રી મનોજ અગ્રવાલ પોલીસ કમિશનર તથા PI ગઢવી ઘ્વારા ભ્રષ્ટાચાર ઘ્વારા વસુલવામાં આવી છે. શરૂઆતમાં માત્ર અરજી તપાસ હાથમા રાખી પોલીસ અધિકારીઓએ ૭૫ લાખ જેવી વસૂલી લીધેલ છે. જે અંગે રાજકોટના ધારાસભ્ય શ્રી ગોવિંદ પટેલે ઘટનાની લેખિત જાણ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કરી. તેમજ ફરિયાદી શ્રી સખીયાએ રૂબરૂમાં શ્રી મુખ્યમંત્રી અને શ્રી ગૃહમંત્રીને મદદ માટે ગુહાર લગાવ્યા છતાં સરકાર મુખ્ય આરોપી શ્રી મનોજ અગ્રવાલ પોલીસ કમિશનર વિરુદ્ધ હજુ કોઈ પણ ગુન્હો કે એફ.આર.આઈ નોંધવા ઇછુક નથી અને ભ્રષ્ટાચારીને છાવરવા જેવી વૃતિ ધરાવે છે.
આમ આદમી પાર્ટી આ આવેદન આપી અલ્ટીમેટ છે કે શ્રી મનોજ અગ્રવાલ પોલીસ કમિશનર રાજકોટ શહેર વિરુદ્ધ તાત્કાલિક એફ.આર.આઈ નોંધી ગુનાની તપાસ હાઇકોર્ટના સીટિંગ જજની નિગરાનીમાં ADGP કક્ષાના પોલીસ અધિકારી ઘ્વારા તપાસ કરવામાં આવે શ્રી મનોજ અગ્રવાલ પોલીસ કમિશનર રાજકોટ શહેરની બદલી કરી ધરપકડ કરી ડિસમિસ કરવામાં આવે.

