સુરત: સુરતના માંડવીમાં ટ્રક-પીકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં બોલેરો પિકઅપમાં સવાર કુલ 16 શ્રમિકો સવાર હતા, જેમાંથી 4 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. સોનગઢના નીંદવાણાથી ઉમરપાડાના ઉમરગોત ગામે આવ્યા હતા. લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા તે સમયે આ અકસ્માત સર્જાયો હતો, જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થતા હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર માંડવી પોલીસે ત્રણેય મૃતકનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અને મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ ઘટનાની વિગતવાર ચર્ચા કરીએ તો માંડવી ઝંખવાવ રોડ પર સથવાવ ગામ નજીક બોલેરો પીકઅપ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત થયો છે. જેમાં બોલેરો પીકઅપમાં ઉમરપાડાથી મજુર લઇ તાપી જિલ્લામાં જઈ રહ્યા હતા.

જ્યારે ટ્રક માંડવીથી ઝંખવાવ તરફ જતી હતી. ત્યારે બોલેરો પીકઅપ અને ટ્રક સામ-સામે અથડાયા હતા. આ અકસ્માતના કારણે બોલેરો પીકઅપમાં સવાર 1 મજુરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય 3ના સારવાર દરમિયાન મોત થયા છે. 16 મજૂરો પૈકી અકસ્માતમાં કુલ 4ના મોત થયા છે અને 6 લોકોને ઇજા પહોંચતા સારવાર હેઠળ છે. ત્રણેય મૃતક ઉમરપાડા તાલુકાના નીંદવાણ ગામના હોવાનું જણાય આવ્યું છે.