વલસાડ: આજરોજ વલસાડ જિલ્લામાં ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત અને પરબ ચેરીટેબલ ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે એમ.જી.પટેલ આદર્શ સાર્વજનિક હાઈસ્કૂલ અટગામ ખાતે શ્રીમતિ નિરૂબેન ભરતભાઇ પટેલ ગ્રંથાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ લસાડ જિલ્લાના અટગામમાં ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત અને પરબ ચેરીટેબલ ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે એમ.જી.પટેલ આદર્શ સાર્વજનિક હાઈસ્કૂલમાં શ્રીમતિ નિરૂબેન ભરતભાઇ પટેલ ગ્રંથાલયનું ઉદ્ઘાટન થયું હતું જેમાં બંને ટ્રસ્ટના હોદ્દેદારો અને દક્ષિણ ગુજરાતમાં સેવાના પર્યાય બનેલા યુવા ગાંધીયન નિલમ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વાંચન એ હાલના સમયની અગત્યની જરૂરિયાત છે. આપણા વિભાગમાં એક મોટો વાચક વર્ગ તૈયાર થાય અને એક વિચારશીલ સમાજનું નિર્માણ થાય એવો અમારો પ્રયત્ન છે. પુસ્તક થકી અમારે એક ઘરને એક સુંદર સંતાનની ભેટ આપવી છે. આ હેતુ અંતર્ગત “શ્રીમતિ નિરૂબેન ભરતભાઈ પટેલ ગ્રંથાલય’ ની સ્થાપના કરવામાં આવી હતી