જમ્મુ: દેશની સેવામાં હંમેશા તૈયાર રહેતા જવાનને લઈને ન્યુઝ એન્જેંસી PTI દ્વારા એક અપડેટ મળી રહ્યા છે કે જમ્મુ અને કાશ્મીરના પૂંચ વિસ્તારમાં તેમના વાહનમાં આગ લાગવાથી પાંચ આર્મી જવાન મૃત્યુ પામ્યા હતા. આ ઘટના ભાટા ધુરિયન વિસ્તારમાં હાઈવે પર બની હતી.
“આજે ભારતીય સેનાનું એક વાહન, જ્યારે પૂંચ (J&K) જિલ્લાના ભીમ્બર ગલીથી સંગીયોત તરફ જઈ રહ્યું હતું, ત્યારે આગ લાગી હતી,” જમ્મુના જનસંપર્ક અધિકારી (રક્ષા) એ જણાવ્યું હતું. “આ દુ:ખદ ઘટનામાં ઈન્દિરના પાંચ સૈનિકોના મૃત્યુ થયા છે.