મેં ભી ઈતિહાસ: આજની 23 માર્ચ, 1931ના રોજ સૉન્ડર્સની હત્યાના ગુનામાં ભગતસિંહને તેમના સાથીઓ રાજગુરુ અને સુખદેવ સાથે ફાંસી આપવામાં આવી હતી. જેને લઈને ભગતસિંહના ભત્રીજા વીરેન્દ્રસિંહ સંધુ જે હાલ લંડન પાસે કૅંટમાં રહે છે તેમની સાથે BBC સંવાદદાતા ઇશલીન કૌરે ભગતસિંહના જીવનનાં અજાણ્યાં પાસાંઓ અંગે વાત કરી હતી આવો જોઈએ તેમનું શું કહેવું હતું..

ભગતસિંહને ફાંસીની સજા થયા બાદ તેમના પરિવારે 3 માર્ચ, 1931ના રોજ જેલમાં તેમની મુલાકાત લીધી હતી. ફાંસી આપતાં પહેલાં આ પરિવાર સાથેની અંતિમ મુલાકાત હતી આ અંતિમ મુલાકાતમાં ભગતસિંહના નાના ભાઈ અને મારા પિતા કુલતાર સિંહ પણ હાજર હતા. મુલાકાત દરમિયાન તેઓ ખૂબ ઉદાસ હતા, કુલતાર સિંહ રડતા હતા. મુલાકાત બાદ કુલતાર સિંહે ભગત સિંહને પત્ર લખવા વિનંતી કરી. તેમણે થોડા શેર લખવા પણ કહ્યું હતું. તેમને ખબર હતી કે ભગતસિંહ શેર-શાયરી પણ કરે છે.

ભગતસિંહે કુલતારને એક પત્ર લખ્યો હતો. જે આ પ્રમાણે હતો..

વ્હાલા કુલતાર, આજે તારી આંખોમાં આંસુ જોઈને મને બહુ દુઃખ થયું. આજે તારી વાતોમાં ખૂબ પીડા હતી. તારા આંસુ મારાથી સહન નથી થતા. બરખુરદાર હિમ્મતથી તાલીમ લેતો રહેજે. તબિયતનું ધ્યાન રાખજે. હિમ્મત રાખજે. શેર તો શું લખું. સાંભળ. ઉસે યહ ફિક્ર હૈ હરદમ, નયા તર્જે-જફા ક્યા હૈ? હમેં યહ શૌક દેખેં, સિતમ કી ઇંતહા ક્યા હૈ? દહર સે ક્યોં ખફા રહે, ચર્ખ કા ક્યોં ગિલા કરે. સારા જહાં અદૂ સહી, આઓ મુકાબલા કરે. કોઈ દમ કા મહેમાન હૂં, એ-અહલે-મહેફિલ, ચરાગે સહર હૂં, બુઝા ચાહતા હૂં. મેરી હવાઓં મેં રહેગી, ખયાલોં કી બીજલી. યહ મુશ્ત-એ-ખાક હે ફાની, રહે રહે ન રહે. અચ્છા રુખસત. ખુશ રહો અહલે વતન. હમ તો સફર કરતે હૈ.

નમસ્તે. તારો ભાઈ ભગતસિંહ

ભગતનો પ્રત્યે માં નો પ્રેમ..

ભગતસિંહનાં માતાને તેમના પર ગૌરવ હતું. જોકે, તેમનાં બીજી ચાર સંતાનો પણ સ્વતંત્રતાની લડાઈમાં સામેલ હતી. પરંતુ ભગતસિંહ જેવો મુકામ કોઈ હાંસલ ન કરી શક્યુ. એમના વ્યક્તિત્વમાં એક અલગ આકર્ષણ હતુ. તેમના માતાએ પહેલાં જ કહી દીધું હતું, જ્યારે તેમનું અવસાન થાય તો તેમનાં અંતિમ સંસ્કાર પણ ભગતસિંહની સમાધિ પાસે જ થાય. તેમની ઇચ્છાને માન આપીને બેબેને સતલજના કિનારે આવેલી ભગતસિંહની સમાધિ પાસે જ તેમને દફનાવવામાં આવ્યાં.